પોરબંદરમાં માર્કેટીંગયાર્ડ ખાતે વાહનમાં રેડિયમ ટેપ લગાડીને તેની મહત્વતા સમજાવવામાં આવી હતી.
જિલ્લામાં માર્ગ સલામતી અંતર્ગત પોરબંદર એ.આર.ટી.ઓ.કે.જી.જાડેજા માર્ગદર્શન હેઠળ આર.ટી.ઓ. કચેરીના સહાયક મોટર વાહન નિરિક્ષક વી.એમ.વાઘેલા તથા પોરબંદર ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. કે.એન.અઘેરા દ્વારા પોરબંદર એ.પી.એમ.સી. ખાતે રેડિયમનું મહત્વ સમજાવી અને માલવાહક વાહનોમાં રીફ્લેકટર્સ, રીફ્લેકટીવ ટેપ્સ અને રીઅર માર્કીંગ પ્લેટ્સ લગાવવાની કામગીરી કરવામાં આવી હતી.
જેમાં એ.પી.એમ.સી. પોરબંદર ખાતે આવતા ભારે તેમજ મધ્યમ માલવાહક વાહનો ઉપર રીફ્લેકટર્સ, રીફ્લેકટીવ ટેપ્સ અને રીઅર માર્કીંગ પ્લેટ્સ જેવાં સલામતીના ઉપકરણો લગાવેલ હોય તે સુનિશ્ર્ચિત કરવા તેમજ એ.પી.એમ.સી. ખાતે આવતા માલવાહક વાહનોમાં રીફ્લેકટર્સ, રીફ્લેકટીવ ટેપ્સ અને રીઅર માર્કીંગ પ્લેટ્સ લગાવવાની કામગીરી કરવામાં આવી જેમાં વિવિધ કામ માટે આવેલ ખેડૂતોને વાહનો પાછળ લગાવવામાં આવતા રેડિયમનું મહત્વ સમજાવી તથા રાત્રિ દરમિયાન રોડ પર વાહન દેખાય અને અકસ્માત નિવારી શકાય તે માટે સમજણ આપવામાં આવી હતી.
આ કામગીરીમાં પોરબંદર એ.પી.એમ.સી. ચેરમેન તેમજ અન્ય સભ્યોનો પુરો સહયોગ આપવામાં આવ્યો હતો અને ગુજરાત સરકારની ખેડુત સલામત, દેશ સલામતની મુહીમ અંતર્ગત સાત દિવસ સુધી રોડ સેફ્ટીની કામગીરી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech