રિસેપ્શન સ્થળને લગ્નનો ભાગ ગણી શકાય નહીં: બોમ્બે હાઈકોટ

  • April 17, 2024 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોમ્બે હાઈકોર્ટે સોમવારે છૂટાછેડા વિવાદ સાથે જોડાયેલા એક કેસમાં ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું કે વેડિંગ રિસેપ્શન સ્થળને લગ્નનો ભાગ ગણી શકાય નહીં. આ સાથે, કોર્ટે કહ્યું કે લગ્ન પછી કોઈ અન્ય જગ્યાએ દંપતીનું રિસેપ્શન પતિ-પત્ની વચ્ચેના વૈવાહિક વિવાદોનો નિર્ણય લેવા માટે સંબંધિત ફેમિલી કોર્ટને અધિકારક્ષેત્ર આપી શકે નહીં. 38 વર્ષીય મહિલાની અરજી પર ન્યાયાધીશ રાજેશ પાટીલની સિંગલ જજની બેન્ચે કહ્યું, મારા મતે, તેમાં કોઈ શંકા નથી કે લગ્નનું રિસેપ્શન લગ્ન સમારંભનો ભાગ ન હોઈ શકે. બાંદ્રા ફેમિલી કોર્ટ દ્વારા મહિલા વિરુદ્ધ આપવામાં આવેલા આદેશને કોર્ટે રદ કર્યો હતો.

જૂન 2015માં રાજસ્થાનના જોધપુરમાં બંનેએ હિંદુ વિધિથી લગ્ન કયર્િ હતા. લગ્નના ચાર દિવસ બાદ મુંબઈમાં વેડિંગ રિસેપ્શન યોજાયું હતું. રિસેપ્શન પછી, દંપતી લગભગ 10 દિવસ મુંબઈ શહેરમાં પતિના માતા-પિતાના ઘરે રોકાયા અને પછી યુએસ ગયા, જ્યાં બંને કામ કરે છે. તેઓ લગ્ન પછી લગભગ ચાર વર્ષ સુધી સાથે રહ્યા અને ઓક્ટોબર 2019થી અલગ રહેવા લાગ્યા. ઓગસ્ટ 2020 માં, પત્નીએ ક્રૂરતાના આધારે બાંદ્રાની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી. ચાર મહિના પછી પત્નીએ યુએસમાં છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરી.
ઓગસ્ટ 2021માં પત્નીએ બાંદ્રાની ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. આમાં, તેણીએ તેના પતિની છૂટાછેડાની અરજી પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને તેને બરતરફ કરવાની માંગ કરી હતી. પત્નીએ દાવો કર્યો હતો કે હિંદુ મેરેજ એક્ટ, 1955ની કલમ 19ને ધ્યાનમાં રાખીને છૂટાછેડાની અરજી પર નિર્ણય લેવાનો કોર્ટ પાસે કોઈ અધિકારક્ષેત્ર નથી. કલમ 19 હેઠળ, પતિ ફક્ત ફેમિલી કોર્ટ/જિલ્લા કોર્ટમાં જ છૂટાછેડાની અરજી કરી શકે છે જેના અધિકારક્ષેત્રમાં લગ્ન સંપન્ન થયા હતા. એટલે કે, પિટિશન તે સ્થળે દાખલ થવી જોઈએ જ્યાં લગ્ન કરવામાં આવ્યા હતા, જ્યાં પ્રતિવાદી રહે છે, અથવા જ્યાં વિવાહિત યુગલ છેલ્લે સાથે રહેતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application