વર્ષ ૧૯૭૪માં કોંગ્રેસના બળવાખોર નેતા બિહારી સિંહ વિશાળ ભીડ વચ્ચે સિંહ સાથે પહોંચ્યા હતા ત્યારે ઈન્દિરા ગાંધીની જાહેર સભામાં નાસભાગ મચી ગઈ હતી. બળવાખોર નેતાને કોંગ્રેસ તરફથી ટિકિટ ન મળતા બિહારી સિંહ નારાજ હતા. તેમણે ઈન્દિરા ગાંધીને જાહેર સભાઓને સંબોધિત ન કરવાની ચેતવણી આપી હતી. તેમના આ પગલાને કારણે ઈન્દિરા ગાંધીએ જાહેર સભા અધવચ્ચે જ છોડી દેવી પડી હતી.
દાદરી બ્લોકના ગામ પવાસના રહેવાસી ચૌધરી બિહારી સિંહ બળવાખોર ઈન્દિરા ગાંધીના નજીકના માનવામાં આવતા હતા. વર્ષ ૧૯૭૪માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર દાદરી વિધાનસભાથી ચૂંટણી લડવા માંગતા હતા. ઈન્દિરા ગાંધી ચૌધરી ચરણ સિંહની સમકક્ષ ખેડૂત નેતાને મેદાનમાં ઉતારવા માગતા હતા. તેણે રામચદ્રં વિકલને મેદાનમાં ઉતાર્યા. તે સમયે રામચદં વિકલ બાગપતથી સાંસદ હતા. દાદરીમાં ઈન્દિરા ગાંધીના રામચદ્રં વિકલના સમર્થનમાં જાહેર સભા યોજાવાની હતી.
તે જ સમયે ટિકિટ ન મળવાથી નારાજ બિહારી સિંહે કોંગ્રેસ સામે બળવો કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. તેમને સિંહનું ચૂંટણી ચિ઼ ફાળવવામાં આવ્યું હતું. તેમણે ઈન્દિરા ગાંધીને ચૂંટણી રેલીને સંબોધવા માટે દાદરી ન આવવા જણાવ્યું હતું. આમ છતાં ઈન્દિરા ગાંધી જાહેર સભાને સંબોધવાના પોતાના નિર્ણય પર અડગ રહ્યા. જાહેર સભાના એક દિવસ પહેલા બિહારી સિંહ બાગી ગાઝિયાબાદના સર્કસમાંથી ૫૦૦ પિયા આપીને ભાડા પર સિંહ લાવ્યા હતા. તેઓએ સિંહને તેના પાંજરામાં આખી રાત ઢાંકીને આંગણામાં રાખ્યો હતો. બીજા દિવસે યારે ઈન્દિરા ગાંધી રેલી સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓ પણ સિંહના પાંજરાને લઈને ત્યાં પહોંચ્યા હતા.અસલી સિંહને જોયા બાદ ત્યાં એક અફવા ફેલાઈ કે બિહારી સિંહ સિંહને પાંજરામાંથી છોડાવવા જઈ રહ્યા છે. આ પછી નાસભાગ મચી ગઈ હતી અને રેલી સ્થળ પર એકઠા થયેલા લોકો ભાગી ગયા હતા. ભીડ વિખેરાઈ ગયા બાદ ઈન્દિરા ગાંધી પણ પાંચ મિનિટમાં જ સભામાંથી નીકળી ગયા હતા.
ન તો જીત્યા કે ન જીતવા દીધા
બિહારી સિંહ બાગી ભલે આ ચૂંટણીમાં ચૂંટણી જીતી શકયા ન હતા, પરંતુ તેમણે કોંગ્રેસના ઉમેદવાર રામચદ્રં બિકલને પણ જીતવા દીધા ન હતા. અહીંથી દેવતા ગામના તેજસિંહ ભાટી એનસીઓની ટિકિટ પર જીત્યા હતા. આ ચૂંટણીમાં જીત મેળવનાર તેજ સિંહ ભાટીને ૨૨૪૮૯ વોટ મળ્યા યારે બીજા ક્રમે આવેલા રામચદ્રં વિકલને ૧૮૧૪૪ અને બિહારી સિંહને ૬૫૨૬ વોટ મળ્યા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech