પ્રભાસ પાટણમાં રેશનકાર્ડના ઘંઉ-ચોખા દુકાનદારો સસ્તા ભાવે ખરીદી ઉંચા ભાવે વેચે છે

  • December 30, 2023 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રભાસ પાટણ મા સસ્તા અનાજની દુકાનોમા મળતા મફ્તના ભાવે ચોખા ધંઉ ગરીબ લોકો પાસેથી સસ્તા ભાવે ખરીદી લે છે અને ઉંચા ભાવે વેચી મોટી કમાણી કરે છે આ બાબતે પ્રભાસ પાટણના સમસ્ત મુન્શી મુશલીમ જમાતના પ્રમુખ અને ભાજપના કાર્યકર સલીમભાઈ મુન્શી દ્વારા મામલતદાર અને પ્રભાસ પાટણ પોલીસને રજુઆત કરતા જણાવેલ કે સરકાર દ્વારા ખુબજ સારા હેતુ સાથે ગરીબ લોકોને ઘંઉ ચોખા સહિતના અનાજો મફતમાં આપે છે પરંતુ આ ગરીબ લોકો પૈસાની લાલચમા પ્રભાસ પાટણ શાકભાજી માર્કેટમાં એક વેપારી અને અન્ય વેપારીઓને ખુબજ ઓછા ભાવે વેચે છે અને આ વેપારીઓ આ અનાજને મોટા વાહનોમાં ભરી અને ઉંચા ભાવે વેચીને મોટો નફો કમાય છેેે.


વેરાવળ મામલતદાર કચેરી અને પ્રભાસ પાટણ પોલીસમા લેખીત રજુઆત કરી અને આવા ગરીબ લોકોના રેશનકાર્ડનો માલ ખરીદી કરતા વેપારીઓ અને આવા લેભાગુ પત્રકારો ઉપર સખત પગલાં લેવા રજૂઆત કરવામાં આવેલ છે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવેલ. આ બાબતે મામલતદાર સામળા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે આ બાબતની તપાસ નાયબ મામલતદારને સોંપવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application