રેશન કાર્ડ અનાજ વિતરણ માટે છે રહેઠાણનો પુરાવો નથી

  • March 08, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હી હાઈકોર્ટે એક ચુકાદામાં જાહેર કયુ હતું કે રેશન કાર્ડ જાહેર વિતરણ પ્રણાલી હેઠળની દુકાનોમાંથી આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા માટે જ જારી કરવામાં આવે છે. તેને સરનામા અથવા રહેઠાણના પુરાવા તરીકે ગણી શકાય નહીં.ઝૂંપડપટ્ટીના બદલે વૈકલ્પિક આવાસ એકમોની માંગ કરતી અરજીઓ પર, દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ્રતા કરી હતી કે જાહેર વિતરણ પ્રણાલી હેઠળની દુકાનોમાંથી આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા માટે રેશન કાર્ડ ખાસ જારી કરવામાં આવે છે અને તેનો ઉપયોગ સરનામા અથવા રહેઠાણના પુરાવા તરીકે ધ્યાનમાં લઈ શકાય નહીં.

જસ્ટિસ ચદ્રં ધારી સિંહની ખંડપીઠે જણાવ્યું હતું કે રેશનકાર્ડ જારી કરતી સત્તાધિકારી દ્રારા ધારક તેમાં ઉલ્લેખિત સરનામાં પર રહે છે તેની ખાતરી કરવા માટે કોઈ પદ્ધતિ મૂકવામાં આવી નથી.કોર્ટે કહ્યું કે રેશન કાર્ડનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે આ દેશના નાગરિકોને વ્યાજબી ભાવે અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવે અને તેનો કાર્યક્ષેત્ર જાહેર વિતરણ વ્યવસ્થા દ્રારા ખાધ ચીજોના વિતરણ સુધી મર્યાદિત છે. કાથપુતલી કોલોનીમાં રહેતા વિવિધ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ દ્રારા તેમની સંબંધિત ઝૂંપડપટ્ટીના બદલે વૈકલ્પિક આવાસ એકમોની માંગ કરતી અરજીઓની સુનાવણી કરતી વખતે કોર્ટે ઉપરોકત અવલોકન કયુ હતું.

૨૦૧૦માં, દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ એક સર્વે હાથ ધર્યેા હતો અને તેના અધિકારીઓને દસ્તાવેજો સબમિટ કર્યા હતા, ત્યારબાદ તેણે જાહેર–ખાનગી ભાગીદારીના ધોરણે કાથપુતલી કોલોનીનો પુન:વિકાસ શ કર્યેા હતો. વસાહતીઓના પુનર્વસન માટે વર્ષ ૨૦૧૪માં એક નીતિ બનાવવામાં આવી હતી અને છેલ્લી તારીખ ૧ જાન્યુઆરી, ૨૦૧૫ નક્કી કરવામાં આવી હતી.અરજદારો દ્રારા દાખલ કરાયેલ પુનર્વસન દાવાઓએ આધાર પર નકારી કાઢવામાં આવ્યા હતા કે તેમની ઝૂંપડપટ્ટીઓ અસ્તિત્વમાં નથી અને તેઓના નામ અયોગ્ય ઝૂંપડપટ્ટીના રહેવાસીઓની યાદીમાં સામેલ છે. અરજદારનો દાવો એ આધાર પર નકારી કાઢવામાં આવ્યો હતો કે તે એક અલગ રેશન કાર્ડ બનાવવામાં નિષ્ફળ ગયો હતો, જે નીતિ માર્ગદર્શિકા મુજબ વૈકલ્પિક ફાળવણી કરવા માટે ફરજિયાત હતું.તે જ સમયે, અરજદારોનો કેસ એવો હતો કે તેઓએ રેશનકાર્ડ માટે અરજી કરી હતી પરંતુ સક્ષમ અધિકારી દ્રારા તે જારી કરવામાં આવ્યું ન હતું. ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને રાહત આપતા કોર્ટે કહ્યું કે ડીડીએએ સરનામાના પુરાવા તરીકે રેશન કાર્ડ પર ખોટી રીતે આધાર રાખ્યો હતો.કોર્ટે એમ પણ કહ્યું કે અલગ રેશન કાર્ડની જરિયાત મનસ્વી છે કારણ કે ગેઝેટ નોટિફિકેશનમાં નિર્દેશિત કર્યા મુજબ તેનો સરનામાના પુરાવા તરીકે ઉપયોગ કરી શકાતો નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application