મુંબઈમાં મહેલ જેવા મકાન 'બખ્તાવર'માં રહેતા હતા રતન તાતા, જાણો એન્ટિલિયાની સરખામણીમાં કેવું દેખાઈ છે તેમનું ઘર?

  • October 10, 2024 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાતા ગ્રુપના ચેરમેન રતન તાતાનું મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. બુધવારે મોડી રાત્રે લગભગ 11 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વય સંબંધિત બીમારીઓથી પીડિત હતા. રતન તાતાને પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. જોકે તેમને સાદું જીવન જીવવું ગમતું હતું. જાણો તેઓ કયા ઘરમાં રહેતા હતા અને પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની સામે તેમનું ઘર 'બખ્તાવર'  કેવું  છે.


મુંબઈમાં રતન તાતાનું ઘર ક્યાં હતું?


પોતાની સાદગી માટે જાણીતા રતન તાતા મુંબઈમાં તેમના નિવાસસ્થાન 'બખ્તાવર' અથવા 'કેબિન્સ'માં રહેતા હતા. આ ઘર વિશે જાણીને આશ્ચર્ય થશે. આ એક આલીશાન ઘર છે, જે મુંબઈના કોલાબામાં આવેલું છે. જાણો એન્ટિલિયા જેવા અન્ય આલીશાન ઘરોની સરખામણીમાં આ ઘર કેવું છે અને તેની કેટલીક ખાસ વિશેષતાઓ શું છે.


કેવું છે રતન તાતાનું 'બખ્તાવર'?


રતન તાતાનું ઘર 'બખ્તાવર' પોતાનામાં એક અજાયબી છે. તે ઘણું મોટું ઘર છે, પરંતુ તેના ઇન્ટિરીયરમાં સાદગીઅને ન્યૂનતમતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઘરમાં હળવા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સજાવટ બહુ ઓછી છે. રતન તાતા માને છે કે 'ઓછુ જ ઘણું છે' અને આ તેમના ઘરની ડિઝાઇનમાં સ્પષ્ટ દેખાય છે.



બખ્તાવર એન્ટીલિયાથી કેટલો અલગ છે?


એન્ટિલિયા અને બખ્તાવર બંને મુંબઈના સૌથી વૈભવી ઘરોમાંના એક છે પરંતુ તેમની વચ્ચે ઘણો તફાવત છે. એન્ટિલિયા આધુનિક સુવિધાઓથી સજ્જ 27 માળની ઇમારત છે. જ્યારે બખ્તાવર એક માળનું મકાન છે. જે સાદગી અને નમ્રતા દર્શાવે છે. એન્ટિલિયામાં તમામ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે, જ્યારે બખ્તાવરમાં માત્ર પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે. એન્ટિલિયા આધુનિક અને ભવ્ય છે, જ્યારે બખ્તાવર ખૂબ જ સરળ લાગે છે.


આ ઘર રતન તાતાના દાદા જમશેદજી તાતાના સમયનું છે અને તેના બાંધકામમાં ભારતીય સ્થાપત્યની વિશેષતાઓ સામેલ છે. બખ્તાવરની ભવ્યતા અને તેની અનોખી રચનાએ તેને એક ખાસ ઓળખ આપી છે, જ્યારે એન્ટિલિયાની આધુનિકતા અને આર્ટ ડેકો શૈલી તેની સરખામણીમાં અલગ છે.


બખ્તાવર’ પ્રતિબિંબિત કરે છે રતન તાતાના વિચારને


રતન તાતાની જીવન ફિલસૂફી સાદગી અને નમ્રતા પર આધારિત છે. તેમનું માનવું હતું કે પૈસાથી સુખ ખરીદી શકાતું નથી. તેમના ઘરની ડિઝાઇન તેમના જીવનની ફિલસૂફી દર્શાવે છે. તેઓ સાદું જીવન જીવતા હતા અને બીજાને મદદ કરવામાં માનતા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application