'સેવ પોરબંદર સી સંસ્થાના સભ્યોએ નિરમા ફેકટરીનું કેમિકલયુકત પાણી દરિયામાં ઠાલવવાથી દરિયાઈ જીવસૃષ્ટ્રિને નુકસાન થઇ રહ્યું છે.તેથી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. થોડા સમય પહેલા પોરબંદરના દરિયાકિનારે વધુ પ્રમાણમાં માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે, આવું વારંવાર દરિયા કિનારે જોવા મળે છે, તે જોઈને પોરબંદરવાસીઓનું દિલ દુભાતું રહે છે. સેવ પોરબંદર સી જયારે જેતપુરના પ્રદુષિત પાણીના પોરબંદરમાં છોડવાની વિદ્ધ આંદોલન છેડી રહ્યા છે, ત્યારે પોરબંદરના દરિયામાં કોઈપણ દ્રારા આ પ્રદુષિત પાણી ના છોડાય તે બાબતે સતત જાગૃત રહે છે, પોરબંદરના એક નાગરિક દ્રારા જિલ્લા કલેકટરને ફરીયાદ કરવામાં આવી છે કે, દરિયા કિનારે નિરમા ફેકટરીવાળા વિસ્તારમાં માછલીઓ મરે છે, આથી જિલ્લા કલેકટરે જી.પી.સી.બી. દ્રારા એ તપાસનો આદેશ આપેલો.
આથી સેવ પોરબંદર સી ના સભ્યોએ આ બાબતે જાગતા રહેવાની નેમ સાથે એક આવેદન આપ્યું કે, જી.પી.સી.બી. દ્રારા જે રિપોર્ટ કલેકટરને સોંપવામાં આવે તે રિપોર્ટ સમગ્ર પોરબંદર શહેરને જાહેર કરવામાં આવ્યા તથા 'સેવ પોરબંદર સી' ના સભ્યોને પણ આ અંતર્ગત જાણ કરવામાં આવે કે આ કયું પાણી છે? કેટલું પ્રદુષિત છે ? અને આ પ્રદુષણને ડામવા માટે જી.પી.સી.બી. તેમજ કલેકટર દ્રારા શા હત્પકમો થયા ?, સેવ પોરબંદર સી ની ટીમ અને જાગૃત નાગરિકો આજ પછી દરિયાકિનારે સતત જોતા રહેશે કે બિરલામાંથી બહાર ફેકાતું પાણી કેટલી હદે પ્રદુષિત અને ગરમ છે અને જે પગલા કલેકટર દ્રારા તેમને ચીંધવામાં આવ્યા છે તે પગલા ઉપર તેઓ કાર્ય કરી રહ્યા છે કે નહી. આ અંતર્ગત એક આવેદન જી.પી.સી.બી. ના મુખ્ય અધિકારીને પણ આપવામાં આવ્યો છે હાલમાં અહીં ચાર્જમાં છે અને તેમની યુટી જેતપુરમાં પણ છે. માછીમાર ભાઈઓને આ પ્રદૂષિત પાણીના કારણે નજીકમાં માછલીઓ નથી મળતી આથી તેમના દુર–દુર જવું પડે છે અને તેને કારણે તેમને આર્થિક ઘસારો તેમજ શ્રમ વધુ થાય છે અને પ્રમાણમાં આર્થિક નુકસાન પણ થાય છે. આ વાતની સાબિતી એ છે કે,કોરોનાકાળમાં બે વર્ષ દરમિયાન આ નિરમા ફેકટરી બધં હતી તો તે લોકોને નજીકમાં જ માછલીઓ મળી જતી તેમને બે ત્રણ દિવસની ખેપ ન કરવાથી આર્થિક ફાયદો રહેતો. છાયા અને તે બાજુના તમામ વિસ્તારોમાં રાત્રે આ બિરલા ફૈકટરીનો ધુમાડો છોડાતો હોવાથી કાળી કોલસીનું સામ્રાજય ફેલાયેલું રહે છે સાથે સાથે ત્યાં રહેલા તમામ લોકોને ચામડીના અને ફેફસાના રોગો થાય છે આ બાબતે પણ રજુઆતો કરવા છતાં કોઈ ફાયદો થયો નથી સમસ્યાનું કોઈ નિરાકરણ થતું નથી આશ્ચર્યની વાત તે છે કે, તેઓ ફેકટરીમાં પોરબંદરના લોકોને કાયમી રાખતા બધં કરી દીધા છે. ટુંકમાં, આ ફેકટરીમાંથી પોરબંદરને કોઈ જ રોજગારી કે ફાયદો નથી તો નુકશાન શા માટે ભોગવે ? તેવા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech