રામમંદિરનું શ્રેય કોઈ એક વ્યકિતને આપી શકાય નહીં: વિનય કટિયાર

  • January 05, 2024 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કટિયારને પૂછવામાં આવ્યું કે તમે રામ મંદિરનો શ્રેય કોને આપો છો? તો તેના જવાબમાં તેમણે કહ્યું કે તેનું શ્રેય કોઈ એક વ્યકિતને ન આપી શકાય. આવા આંદોલનનો શ્રેય સમગ્ર સંસ્થાને જાય છે.  આ આંદોલનમાં આરએસએસની મોટી ભૂમિકા હતી. તેણે એક સંગઠન તરીકે આગેવાની લીધી હતી, પરંતુ વિહિપ જેવા અન્ય સંસ્થાઓએ રામ મંદિર માટે મહત્ત્વની ભૂમિકા ભજવી અને અત્યાર સુધી મોરચો સંભાળી રાખ્યો છે. તેનો શ્રેય પણ સંઘના સ્વયંસેવકોને જાય છે. રામ મંદિર આંદોલનનો મહત્વનો હિસ્સો રહ્યા છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે રામમંદિર આંદોલન, લાલકૃષ્ણ અડવાણી અને સઘં કાર્યકર્તાઓની ભૂમિકાને યાદ કરતાં કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો કહી હતી. કટિયારને યારે પૂછવામાં આવ્યું કે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિા નજીક છે ત્યારે તમે તેને કેવી રીતે જુઓ છો? જેના જવાબમાં તેમણે કહ્યું કે હત્પં ખુશ અને અભિભૂત છું.
વિનય કટિયારે કહ્યું કે રામ મંદિરના નિર્માણની આગામી લોકસભા ચૂંટણી પર કોઈ અસર નહીં થાય. રામ મંદિર રાજકીય નથી. મેં રામમંદિરનું આંદોલન શ કયુ હતું અને અન્ય લોકોને તેની સાથે જોડા હતા.
તેમણે કહ્યું કે હત્પં એક આંદોલનકારી નેતા છું અને રામમંદિર આંદોલનનો પાયો નાખનારાઓમાંનો એક છું. થોડા સમય પછી વધુ લોકો જોડાયા. હાલમાં મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. મંદિર ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. કટિયારને પૂછવામાં આવ્યું કે શું બજરગં દળની સ્થાપના માત્ર રામમંદિર આંદોલન માટે કરવામાં આવી હતી? તો તેના પર તેમણે કહ્યું કે બજરગં દળની રચના હિંદુ સમાજને જાગૃત કરવા માટે કરાઈ હતી. તેને પછીથી રામ મંદિર આંદોલન સાથે જોડી દેવાયો અને પછીથી તે સક્રિય ભૂમિકા ભજવતો રહ્યો. મેં અયોધ્યામાં મારા ઘરે બજરગં દળની સ્થાપના કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application