રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહતં નૃત્ય ગોપાલદાસ હોસ્પિટલમાં દાખલ

  • September 10, 2024 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહતં નૃત્ય ગોપાલ દાસને ખોરાક ઘટી જવાની અને પેશાબની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે . સમાચાર એજન્સીના અહેવાલ મુજબ તેમની તબિયત સ્થિર થઈ ગઈ છે અને તેમના પર નજર રાખવામાં આવી રહી છે.
૮૬ વર્ષીય રામ મંદિર ટ્રસ્ટના વડાને શઆતમાં સાંજે ૬:૩૦ વાગ્યાની આસપાસ મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં ખોરાક લઘટી જવાના લીધે નબળાઈ અને પેશાબની સમસ્યાઓના કારણે દાખલ કરવામાં આવ્યા હોવાનું હોસ્પિટલ દ્રારા જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું.જોકે શઆતમાં તેમની હાલત નાજુક હતી. મીડિયા સલાહકાર શરદ શર્માએ જણાવ્યું હતું કે તેમની સ્થિતિ હાલમાં સ્થિર છે અને તેઓ તબીબી દેખરેખ હેઠળ છે.તેમણે કહ્યું કે તેમની સ્થિતિનું નિરીક્ષણ કરવા અને વધુ સારી સારવાર આપવા માટે તબીબી નિષ્ણાતોની એક ટીમ પણ હોસ્પિટલમાં રોકાયેલી છે.શરદ શર્માએ ઉમેયુ, ભૂખ ન લાગવાની સમસ્યા યથાવત છે, પરંતુ તેમની એકંદર સ્થિતિ સ્થિર છે.
રામ મંદિર ટ્રસ્ટના વડાની થોડા દિવસોથી ગ્વાલિયરમાં સારવાર ચાલી રહી હતી અને રવિવારે તેમની તબિયત અચાનક બગડતાં તેમને મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application