રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહતં નૃત્ય ગોપાલ દાસને ખોરાક ઘટી જવાની અને પેશાબની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે . સમાચાર એજન્સીના અહેવાલ મુજબ તેમની તબિયત સ્થિર થઈ ગઈ છે અને તેમના પર નજર રાખવામાં આવી રહી છે.
૮૬ વર્ષીય રામ મંદિર ટ્રસ્ટના વડાને શઆતમાં સાંજે ૬:૩૦ વાગ્યાની આસપાસ મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં ખોરાક લઘટી જવાના લીધે નબળાઈ અને પેશાબની સમસ્યાઓના કારણે દાખલ કરવામાં આવ્યા હોવાનું હોસ્પિટલ દ્રારા જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું.જોકે શઆતમાં તેમની હાલત નાજુક હતી. મીડિયા સલાહકાર શરદ શર્માએ જણાવ્યું હતું કે તેમની સ્થિતિ હાલમાં સ્થિર છે અને તેઓ તબીબી દેખરેખ હેઠળ છે.તેમણે કહ્યું કે તેમની સ્થિતિનું નિરીક્ષણ કરવા અને વધુ સારી સારવાર આપવા માટે તબીબી નિષ્ણાતોની એક ટીમ પણ હોસ્પિટલમાં રોકાયેલી છે.શરદ શર્માએ ઉમેયુ, ભૂખ ન લાગવાની સમસ્યા યથાવત છે, પરંતુ તેમની એકંદર સ્થિતિ સ્થિર છે.
રામ મંદિર ટ્રસ્ટના વડાની થોડા દિવસોથી ગ્વાલિયરમાં સારવાર ચાલી રહી હતી અને રવિવારે તેમની તબિયત અચાનક બગડતાં તેમને મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્લી CMના સલાહકારથી લઈને મુખ્યમંત્રી પદ સુધી પોહ્ચવાની આતિશીની રાજકીય સફર
September 17, 2024 01:21 PMકોર્પોરેશનની ફુડ શાખા દ્વારા સરકારી ગોડાઉન તેમજ અન્ય દુકાનોમાંથી નમૂના લઇ લેબમાં મોકલાયા
September 17, 2024 01:13 PMજામનગર: ભારે વરસાદ બાદ પાકમાં જીવાતનું પ્રમાણ વધ્યું...ખેડૂત મિત્રોએ જીવાત નિયંત્રણ માટે શું કરવું?
September 17, 2024 01:03 PMનારાયણ મૂર્તિએ કરીના કપૂરને અભિમાની કહી
September 17, 2024 12:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech