ભગવાન રામના રોલ માટે બોલિવુડ એક્ટર રણવીર સિંહ જોવા મળશે તે સાથે જ તેની કાસ્ટ અને મેકિંગને લઈને દરરોજ રસપ્રદ અપડેટ્સ સામે આવી રહ્યા છે. ત્યારે હવે શૂર્પણખાના પાત્રને લઈને એક અપડેટ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બોલિવુડની આ ફેમસ અભિનેત્રી શૂર્પણખાના રોલમાં જોવા મળશે.
રણબીરની 'રામાયણ'માં શૂર્પણખા બનશે આ અભિનેત્રી !
હાલમાં નિતેશ તિવારીની બિગ બજેટ ફિલ્મ ‘રામાયણ’ની ખુબ જ ચર્ચા થઈ રહી છે. જેમાં રામના રોલ માટે બોલિવુડ એક્ટર રણવીર સિંહ જોવા મળશે તે સાથે જ તેની કાસ્ટ અને મેકિંગને લઈને દરરોજ રસપ્રદ અપડેટ્સ સામે આવી રહ્યા છે. ત્યારે હવે શૂર્પણખાના પાત્રને લઈને એક અપડેટ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બોલિવુડની આ ફેમસ અભિનેત્રી શૂર્પણખાના રોલમાં જોવા મળશે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એવા અહેવાલો છે કે શૂર્પણખાના રોલ માટે તે અભિનેત્રી સાથે વાતચીત ચાલી રહી છે.
આ અભિનેત્રી બનશે શૂર્પણખા
‘પિંકવિલા’ના અહેવાલ મુજબ, નિર્દેશક નિતેશ તિવારી રામાયણમાં શૂર્પણખાના રોલ માટે બિજુ કોઈ નહી પણ રકુલ પ્રીત સિંહનો સંપર્ક કર્યો છે. જો વાત થશે તો તે ફિલ્મમાં રાવણની બહેનની ભૂમિકા રકુલ ભજવશે. એટલે કે રકુલ પ્રીત સિંહ ‘રામાયણ’માં રાવણનો રોલ કરનાર યશની બહેનના રોલમાં જોવા મળશે.
અગાઉ આ ફિલ્મમાં માતા સીતાના રોલ માટે જહ્વવી કપૂરનું નામ પણ સામે આવ્યું હતું જોકે તે અંગે હજુ કોઈ માહીતી સામે આવી નથી પણ હવે ફિલ્મમાં રકુલ પ્રીતની એન્ટ્રીના અહેવાલો સામે આવી રહ્યા છે. ચાલો તેના પર એક નજર કરીએ.
શૂર્પણખાના રોલ માટે રકુલ પ્રીતે લુક ટેસ્ટ આપ્યો હતો
તમને જણાવી દઈએ કે ‘રામાયણ’માં શૂર્પણખા હતી, જેના કારણે રામ અને રાવણ આમને-સામને આવ્યા અને ભયંકર યુદ્ધ થયું. આ સંદર્ભમાં, આ કાસ્ટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શૂર્પણખાના રોલ માટે રકુલ પ્રીત સિંહે લુક ટેસ્ટ પણ આપ્યો છે. જો બધું બરાબર રહેશે તો રકુલ પ્રીત લગ્ન પછી તેનું શૂટિંગ કરશે. હાલમાં, તે 21 ફેબ્રુઆરીએ ગોવામાં જેકી ભગનાની સાથે લગ્ન કરવા જઈ રહી છે.
નિતેશ તિવારીની ‘રામાયણ’ની કાસ્ટ
નિતેશ તિવારીની ‘રામાયણ’માં રણબીર કપૂર ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકા ભજવશે. અન્ય પાત્રો માટે પણ ઘણા મોટા નામ ફાઈનલ કરવામાં આવ્યા છે, જેમાં ‘KGF’ સ્ટાર યશનું નામ રાવણ માટે અને સની દેઓલનું નામ હનુમાન માટે કન્ફર્મ હોવાનું કહેવાય છે. જ્યારે કૈકેયીના રોલ માટે લારા દત્તાનું નામ કન્ફર્મ હોવાનું કહેવાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech