યાત્રાધામ દ્વારકામાં રૂપાલાનાં વિરોધમા મોટી સંખ્યામાં રાજપૂત મહિલાઓ અને પુરુષોએ રેલી યોજી આવેદન આપયુ

  • April 08, 2024 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ લોકસભાનાં સાંસદનાં ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજના રજવાડા ઓ તેમજ રોટી-બેટી વિશે અશોભનીય ટીપણી અંગે આજે દ્વારકા પ્રાંત કચેરીએ ઓખા મંડળ રાજપૂત સમાજ દ્વારા મોટી રેલી યોજી આવેદન પત્ર આપ્યું અને જેની નકલ ઉચકક્ષાએ રવાના કરી.ઉલેખનીય છે કે રાજપૂત સમાજ ના પુરુષો ની સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામા જોડાઈ હતી દ્વારકા ની બજારો માં રેલી યોજી આક્રોશ સાથે સૂત્રોચાર કરતા કરતા આવેદન પત્ર આપ્યું હતું.અને મોવડી મંડળ રૂપાળા ની ઉમેદવારી રદ ન કરે ત્યાં સુધી રાજપૂત સમાજ ના રાજપૂત નાં ઘરે કોઈ કાર્યકર મત માંગવા કે પ્રચાર કરવા ન આવે તેવી પણ પત્રમાં રજૂઆત કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application