રાજકોટને પીવાનું પાણી પૂં પાડતા આજી, ન્યારી અને ભાદર સૌની યોજના હેઠળ ઠાલવેલા નર્મદાનીરથી ભરેલા છે તેમ છતાં પાઈપલાઈનથી મળતું નર્મદા નીર એક દિવસ પણ ન મળે તો રાજકોટમાં પાણીકાપ મુકવો પડે તેવી પરાવલંબી સ્થિતિ છે. નર્મદા કેનાલની લિકેજ થયેલી લાઇન રિપેર કરવા ફકત એક દિવસ નર્મદાનીર આપવાનું બધં કરાયું તેના લીધે આજે ત્રણ વોર્ડના ૫૦ વિસ્તારોમાં બપોર બાદ પાણી વિતરણ બધં રાખવાની નોબત આવી છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ દ્રારા નર્મદા કેનાલ–૨૦ની લિકેજ પાઇપ લાઇનનું રીપેરીંગ કરવાનું હોવાથી નર્મદા યોજના આધારીત ન્યારા ઓફ ટેક ઉપર આજે તા.૧૦ના રોજ બપોરે એક વાગ્યેથી પાણીનો જથ્થો ઉપલબ્ધ થઇ શકશે નહી. જેથી વોર્ડ નં.૧,૨ અને ૩ હેઠળના ૫૦ વિસ્તારોમાં પાણી વિતરણ બધં રહેશે
આજે આટલા વિસ્તારોમાં પાણી નહીં મળે
રૈયાધાર આધારીત બજરંગવાડી, રેલનગર, તથા ઘંટેશ્વરના વિસ્તાર, બજરંગવાડી, હત્પડકો કવાર્ટર્સ, સ્લમ કવાર્ટર્સ, ગાયત્રીધામ સોસાયટી, મોચીનગર–૧,૨, અવંતીકા પાર્ક, શિવાનદં પાર્ક, પૂજા પાર્ક, પુનીતનગર, બજરંગવાડી, રાજીવનગર, સંજયનગર, મોમીન સોસાયટી, વસુધા સોસાયટી, ભોમેશ્વરવાડી, જાગૃતિ શ્રમજીવી સોસાયટી,ભોમેશ્વર પ્લોટ, ગોકુળીયાપરા, રેલનગર, પોપટપરા, મોચીનગર, પરસાણાનગર, જંકશન પ્લોટ સોસાયટી, શ્રોફ રોડ, હરીલાલ ગોસલીયા માર્ગ, સરકારી કવાર્ટસ, સાયલાનો ઉતારો, નકુમ શેરી, પ્રેસ રોડ, ડા ઓફિસ વિસ્તાર, ગોંડલનો ઉતારો, આરતી એપાર્ટમેન્ટ, તાર ઓફિસ પાછળ, ગણાત્રાવાડી, દાતારનો તકિયો, સિવિલ હોસ્પિટલ, ઘંટેશ્વર, રીંગ રોડ–૨, વર્ધમાન નગર, આસ્થા–ક્રિસ્ટલ સીટી, હર્ષદીપ સોસાયટી, જલારામ મંદિર, અંજલી પાર્ક, માતી નંદન સોસાયટી, મહાદેવ પાર્ક, શાંતી નગર, નાગેશ્વર સોસાયટી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech