રાજકોટ યાર્ડના ચેરમેન બોઘરા કે સાવલિયા?

  • June 21, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં તા.પાંચ જુલાઇના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણી યોજવા ચૂંટણી અધિકારી જામનગર જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા એજન્ડા પ્રસિધ્ધ કરાયો છે. ચેરમેન પદે જયેશ બોઘરાને રિપિટ કરાશે કે પછી ચેરમેન પદના દાવેદાર પરસોતમ સાવલિયાની નિમણુંક કરાશે તે જોવાનું રહેશે, અલબત્ત હાલ તો પાર્ટી મેન્ડેટ આપશે કે કેમ ? અને જો આપશે તો કોના નામનો આવશે ? તેના ઉપર સૌની મીટ છે. વિશેષમાં યાર્ડના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, વર્તમાન ચેરમેન જયેશ બોઘરાએ રાજકોટ યાર્ડને સૌરાષ્ટ્રમાં નંબર વનનું સ્થાન અપાવ્યું હોય તેમને રિપિટ કરાય તેવી શકયતા છે. બીજીબાજુ વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં મુળ ભાજપ્ના અને સૌથી સિનિયર ડિરેકટર પરસોતમ સાવલિયા છે, પડદા પાછળથી સક્રિય ભાજપ્નું એક જૂથ તેમને ચેરમેન બનાવવા ઉત્સુક છે. રાજકોટ માર્કેટ યાર્ડના નવા ચેરમેન કોણ બનશે ? તેના ઉપર સૌની મીટ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application