રાજકોટ TRP ગેમઝોનમાં લાગેલ અગ્નિકાંડમાં 28 લોકોના મોતનો મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મનપાના અધિકારીઓ જવાબદારી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ચાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં મહાપાલિકાના પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠીયા, એટીપી ગૌતમ જોશી, મુકેશ મકવાણા, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ACBની ટીમ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલી પૂર્વ TPO સાગઠીયાની ઓફિસે પણ તપાસ માટે પહોંચી હતી.
આજે બપોર બાદ રાજકોટના ફાયર અધિકારી બી.જે. ઠેબાના ઘરે ACB દ્વારા તપાસ શરૂ થયાના સમાચાર સામે આવ્યા હતા. આ ઉપરાંત ટીપીઓ એમ.ડી.સાગઠીયાના ઘરે પણ એસીબીએ દરોડા પાડ્યાની વાત સામે આવી હતી. ખોડીયાર નગર ખાતે અધિકારીના રહેણાંક મકાનમાં ACBએ ધામા નાખ્યાં છે. એમ.ડી.સાગઠીયાના ઘરે પણ એસીબીના દરોડાની કાર્યવાહી કરવામાં આવી. મહત્વનું છે કે એમ ડી સાગઠીયાને TPOના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.
શું હતી ઘટના ?
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ગત શનિવારે સાંજે 5 વાગ્યાના સુમારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 12 બાળકો સહિત 28 લોકોના મોત થયા હતા. પચીસથી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આગની ઘટના પર તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય માટે મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને સૂચના આપી હતી. તેમજ રાજ્ય સરકારે ફાયર એનઓસી ન ધરાવતા તમામ ગેમ ઝોનને બંધ કરવાની સૂચના આપી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગેમઝોનમાં આગના સમાચારની માહિતી ફાયર કંટ્રોલ રૂમને મળતાં ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ આગને બુઝાવવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. આગના કારણે માળખું ધરાશાયી થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામકંડોરણામાં વરસાદી માહોલ, બે કલાકમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો
June 30, 2024 03:12 PMગોંડલ : નેશનલ હાઇવે પર ખાનગી બસ પલટી મારી જતાં અકસ્માત,, સદનસીબે કોઈ જાનહાનિ નહિ
June 30, 2024 03:11 PMપીએમ મોદીએ ટીમ ઈન્ડિયાને કર્યો કોલ, એક એકની સિદ્ધિના કર્યા વખાણ
June 30, 2024 12:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech