રાજકોટ પોલીસ એલર્ટ: ગણેશ મહોત્સવના આયોજકો સાથે બેઠક યોજી

  • September 09, 2024 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બાદમાં અહીં તંગદિલીભર્યેા માહોલ થઈ ગયો હતો. આ મામલે પોલીસે ૨૮ લોકોની ધરપકડ કરી છે. તો બીજી તરફ આ ઘટનાના પગલે રાયમાં અન્ય કયાંય આવી અધટિત ઘટના ન બને તે માટે સમગ્ર રાયની પોલીસને એલર્ટ રહેવા સૂચના આપી છે. જેના ભાગપે રાજકોટ પોલીસ પણ એકશનમાં આવી ગઈ છે ગઈકાલ રાત્રીથી જ ગણેશ પંડાલ આસપાસ પોલીસ દ્રારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. દરમિયાન આજરોજ સવારના પોલીસ કમિશનર દ્રારા શહેરમાં ગણેશ પંડાલના આયોજકો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં પોલીસ કમિશનરે તેમને ગણેશ પંડાલ પર સુરક્ષાને લઇ તકેદારી રાખવા સહિતની બાબતો અંગે સૂચનો કર્યા હતા.સાથોસાથ કમિશનરે પોલીસને પણ ગણેશ પંડાલ આસપાસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા આદેશ કર્યેા છે. આ ઉપરાંત શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં ગણેશ પંડાલના આયોજન અંગેની યાદી પણ પોલીસ દ્રારા તૈયાર કરવામાં આવી છે.
સુરતમાં બનેલી ગઈકાલની ઘટના બાદ રાજકોટ શહેર પોલીસે તાકીદે સર્તક બની છે.જેના ભાગપે આજરોજ સવારના સુમારે પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા ની અધ્યક્ષતામાં શહેરમાં ગણેશ મહોત્સવના આયોજકો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બાબતે માહિતી આપતા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા દ્રારા જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ કમિશનર દ્રારા શહેરમાં ગણેશ પંડાલના આયોજકો સાથે આજરોજ બેઠક યોજવામાં આવી હતી જેમાં આયોજકોને ગણેશ પંડાલમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. ૨૪ કલાક ગણેશ પડાલ પાસે કોઈ વ્યકિતઓ હાજર રહેવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત કાયદો વ્યવસ્થાને લઈ કોઈ પણ પ્રશ્ન સર્જાય તો તુરતં પોલીસને જાણ કરવા જણાવ્યું છે. આગામી સમયમાં ઈદનો તહેવાર પણ હોય આ દરમિયાન બંને સમાજના લોકો વચ્ચે કોઈ ઘર્ષણની ઘટના ન બને તે માટે ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું. બેઠકમાં ગણેશ પંડાલના આયોજકો દ્રારા પણ જરી સૂચનો આપવામાં આવ્યા હતા જેને પોલીસ કમિશનરે સાંભળ્યા હતા.
આ ઉપરાંત પોલીસ કમિશનરે તમામ પોલીસ મથકના પીઆઇને ગણેશપંડાલ આસપાસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા અને તેમના વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારોમાં ગણેશ પંડાલના આયોજન હોય તો ત્યાં વિશેષ બંદોબસ્ત ગોઠવવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે તેમજ ગણેશપંડાલના આયોજકો સાથે સતત સંપર્કમાં રહેવા જણાવ્યું છે. દરેક પોલીસ સ્ટેશનના પીઆઇને બંને સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવા પણ આદેશ કરવામાં આવ્યો છે. પોલીસને મહત્વના વિસ્તાર ઉપરાંત શેરી ગલીમાં પણ પેટ્રોલિંગ કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાંચ, એસોજી, ટીમને પણ ગણેશ મહોત્સવના આ આયોજન દરમ્યાન ખાસ તકેદારી રાખવા અને સતત સ્થિતિ પર નજર રાખવા આદેશ કરવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓને સતત મોનિટરિંગ કરવા પોલીસ કમિશનરે સૂચના આપી છે


સુરતની ઘટના બાદ રાતથી જ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું
સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગઈકાલે બનેલી ઘટના બાદ રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાના આદેશથી ગઈકાલ રાત્રેથી જ શહેરમાં યાં યાં ગણેશ મહોત્સવના આયોજન છે ત્યાં પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું હતું. તેમજ પેટ્રોલિંગ માટે સ્ટાફ પણ વધારી દેવામાં આવ્યો છે. સુરતમાં બનેલી ઘટના બાદ રાજકોટમાં આ પ્રકારે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ દ્રારા તાકીદે તાકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા.

રાજકોટમાં ૩૨૩ જગ્યાએ ગણેશ મહોત્સવના આયોજન
રાજકોટમાં અલગ– અલગ વિસ્તારમાં નાના મોટા ગણી કુલ ૩૨૩ જગ્યાએ ગણેશ મહોત્સવના આયોજન કરવામાં આવ્યા છે. યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાનાર છે. ત્યારે આગામી દિવસોમાં અહીં કોઈ અધિટત ઘટના ન બને તે માટે પોલીસ દ્રારા તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. પંડાલના આયોજકોને પણ જરી સૂચનો આપવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application