અમિનમાર્ગ ઉપર પંચવટીથી જનકલ્યાણ સુધી હવેથી વરસાદી પાણી નહીં ભરાય

  • April 15, 2025 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્વારા આજે વોર્ડ નં.૮માં રૂ.૮૨.૯૫ લાખના ખર્ચે અમિનમાર્ગ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે પાઈપ ગટર નાખવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ ટીલારાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તમાં વોર્ડ નં.૮માં અતિથી ચોકથી જનકલ્યાણ સોસાયટીના નાલા સુધી તથા પંચવટી સોસાયટીથી જનકલ્યાણ સોસાયટીના નાલા સુધી વરસાદી પાણીના નિકાલ માટે પાઈપ ગટર નાખવામાં આવનાર છે. આ કામગીરીથી વિસ્તારવાસીઓની સુવિધામાં વધારો થશે અને હાલાકીમાંથી મુક્તિ મળશે.

ઉપરોક્ત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વિધાનસભા-૭૦ના ધારાસભ્ય રમેશભાઈ ટીલારા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, કોર્પોરેટર બિપીનભાઈ બેરા, ડૉ. દર્શનાબેન પંડયા, પ્રીતિબેન દોશી, વોર્ડ પ્રમુખ દેવકરણભાઈ જોગરાણા, મહામંત્રી રવિ ચાંગેલા, નિલેશભાઈ ભટ્ટ, રાજકોટ શહેર આદિજાતિ મોરચા પ્રમુખ મનોજભાઈ દુબલ, મહામંત્રી જીતેન્દ્રભાઈ વાઘેલા, યુવા મોરચા પ્રમુખ કિશનભાઈ ટીલવા, રાજકોટ શહેર મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડિયા, યુવા મોરચા ઉપપ્રમુખ કિશન પટેલ, કાથડભાઈ ડાંગર, જયભાઈ શાહ, વિનુભાઈ વઘાસીયા, જયસુખભાઈ મારવીયા, રીટાબેન સખીયા, અનીલભાઈ ગોગીયા, સમીરભાઈ ખીરા, જયેન્દ્રસિંહ સરવૈયા, સુનીલભાઈ છાપીયા, મયુરભાઈ પાંભર, ધ્યેય દોશી, દિલસુખભાઈ રાઠોડ, અશોકભાઈ ડાંગર, પાર્થરાજસિંહ કામલીયા, દેવાંગીબેન મૈયડ, રજનીબેન ચાવડા, મીનાબેન શર્મા, મીનાબેન વજીર, શૈલેષભાઈ, અલ્પેશભાઈ, જયસુખભાઈ ટીલવા, કાંતિભાઈ, કીર્તિભાઈ પટેલ, મનીષ લિમ્બાસીયા, મહેશભાઈ પટેલ, પ્રભુભાઈ વઘાસીયા, રવિભાઈ વાજા, દિલુભા ચુડાસમા, વંદનાબેન પટેલ, સુનીતાબેન, ધીરજભાઈ ગોગીયા, અનિલભાઈ, ચીમનભાઈ સાકળિયા, સ્ન્જ્યભાઈ પંડ્યા, પરેશભાઈ પટેલ, ગોપાલભાઈ, મુન્નાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application