દરરોજ ૧૨૦૦ બસ અને ૫૦ હજાર મુસાફરોની અવર જવર ધરાવતા રાજકોટ એસટી બસ પોર્ટમાં મેન્ટેનન્સના અભાવે રોજ નવી સમસ્યાઓ સામે આવી રહી છે. દરમિયાન તાજેતરમાં ચાર પ્લેટફોર્મની રેલિંગ તૂટી જતા મુસાફર જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિશેષમાં રાજકોટના એસટી બસપોર્ટના મુસાફરોએ જણાવ્યું હતું કે બસપોર્ટના પ્લેટફોર્મ નં.૬, ૯, ૧૧ અને ૧૫ની તમામ રેલિંગ કે જે મુસાફરોની માટે સલામતીની વ્યવસ્થા માટે હોય છે તે હાલ તૂટેલી હાલતમાં છે. મુસાફરોને બેસવા માટે પુરતી માત્રામાં સીટિંગ વ્યવસ્થા ન હોવાને કારણે ફરજિયાત પણે ઉભું રહેવું પડે છે અને બસ પ્લેટફોર્મ ઉપર આવે ત્યારે મુસાફરોમાં થતી ભાગદોડ વેળાએ આ પ્રકારની તૂટેલી અને અણીદાર રેલીંગ સાથે અથડાવાથી અકસ્માત સર્જાય કે મુસાફર ઇજાગ્રસ્ત થાય તેવી સ્થિતિ છે.તદઉપરાંત તૂટેલી રેલિંગ આસપાસથી પસાર થતી વેળાએ ધ્યાન ન રહે તો તેમાં કપડાં ભરાઇ જવાથી કપડાં ફાટી જાય છે, ખાસ કરીને મહિલા મુસાફરો સાથે આવા બનાવો વધુ બની રહ્યા છે.દરમિયાન આ મામલે ફરિયાદ કરવા મુસાફરોએ બસપોર્ટના ટ્રાફિક કંટ્રોલર પાસેથી ફરિયાદ બુક માંગતા ફરિયાદ બુક આપવા ઇન્કાર કરવામાં આવતા રોષની લાગણી પ્રસરી છે. કોઇ મુસાફર ઇજા પામે તે પહેલાં પ્લેટફોર્મની તૂટેલી રેલિંગનું રિપેરિંગ થાય અથવા તો નવી રેલિંગ નખાય તે માટે ગુજરાત એસ.ટી.મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરાઇ હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશાહિદને પોતાની કિમત સમજાઈ: ફર્ઝી 2 માટે તગડી ફી વસુલી
May 10, 2025 11:45 AMપવનદીપ રાજન હજુ પણ આઈસીયુમાં, 8 કલાક સર્જરી ચાલી
May 10, 2025 11:43 AM૧૯૭૧ના યુઘ્ધમાં જગતમંદિર પર પાકિસ્તાનના હુમલા નિષ્ફળ રહ્યા હતાં
May 10, 2025 11:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech