જેતપુર, નવાગઢમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણીની માર્ગો ઉપર રેલમછેલ: લોકો ત્રાહિમામ

  • May 18, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ઉભરાતા ગંદા પાણી રોડ પર વહેવાની સમસ્યા શહેરીજનો માટે માાનો દુ:ખાવા રૂપ બની ગયા છે. શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવવામાં આવી જેી શહેરીજનોને આશા બંધાણી હતી કે હવે આ સમસ્યાી મુક્તિ મળશે તેમ છતાં રોજ ગટરોના ગંદા પાણી ઉભરાઇને રોડ પર વહેવાની સમસ્યા જેમની તેમ જ રહી. જેી ભૂગર્ભ ગટરનો કરોડો રૂપિયાનો ખર્ચ ગંદા પાણીમાં ગયો એટલે જેતપુર શહેરમાં ભૂગર્ભ ગટર યોજના સો ટકા નિષ્ફળ ગઈ હોવાનું સનિકો આક્ષેપ કરી રહ્યા છે.
​​​​​​​
શહેરના નાના ચોક, મોટા ચોક, સોની બઝાર, લાદી રોડ, એમ.જી. રોડ તેમજ નગરપાલિકા કચેરીી માત્ર બસો ફૂટ દૂર સરદાર ગાર્ડન સામે મુખ્ય રોડ પર અને જ્યાંી તાલુકાના એકવીસ જેટલા ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેરમાં પ્રવેશવાનું દ્વાર એટલે વડલી ચોક વિસ્તાર જ્યાં દરરોજ ભૂગર્ભ તેમજ ખુલ્લી બંને ગટરો ઉભરાઇ ગંદા પાણી રોડ પર વહે છે. જેમાં નવા દરવાજા પાસે કેટલાક બાંધણીના કારખાનાઓએ તેમના કારખાનાનું કેમીકલ યુક્ત પાણી ભૂગર્ભ તેમજ ખુલ્લી ગટરમાં ગેરકાયદેસર છોડતા હોય તે પાણી ગટરો વહન ન કરી શકતા તે પાણી પણ છલકાયને રસ્તા પર વહેવા લાગે છે. ઉપરાંત સફાઈના અભાવે તો નીચાણવાળા વડલી ચોક વિસ્તારમાં તમામ બાજુનું ગટરનું પાણી છલકાયને રોડ પર આવી જાય છે. ગંદા પાણી પર ચાલવું ન પડે તે માટે મુસાફરો, વિર્દ્યાીઓ તેમજ ભાવિકો ત્રાહિમામ પોકારી ગયા છે અને તેઓએ રસ્તો જ બદલી નાખીને અમરનગર રોડનું બે કિમીનું અંતર કાપીને બઝારમાં,સ્વામિનારાયણ મંદિરે જાય છે. અને વડલી ચોકી લઈને કોળી લાઈન સુધીના વિસ્તારના રહીશો તેમજ વેપારીઓને નગરપાલિકાના અધિકારીઓ ગટરના ગંદા પાણી રોડ પર વહેવાની કાયમી સમસ્યા યાવત રાખી સજા આપતા હોય તેવું સનિકો આક્ષેપ કરી રહ્યા છે. અને આ રસ્તા પર ોડા દિવસ પૂર્વે એક જનાજો નીકળ્યો ત્યારે ગટર છલકાય હોવાી જનાજો બીજા રસ્તેી લઈ જવા મજબુર બનવું પડ્યું હતું.
કાયમી બની ગયેલ આ સમસ્યાનું નગરપાલિકા નિરાકરણ કેમ લાવી શક્તિ ની તે મોટો યક્ષ પ્રશ્ન સનિકો નગરપાલિકાને પૂછી રહ્યા છે. એવું પણ ની કે પાલિકા આ સમસ્યાી અવગત ની તેઓને કાયમી ગટરો ઉભરવાની ફરીયાદો મળે છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે સરકારે પ્રજાના આરોગ્યના સુખાકારી માટે ભૂગર્ભ ગટર યોજના બનાવેલ તે જેતપુરમાં ૧૦૦ ટકા નિષ્ફળ નીવડી છે છે અને સુખાકારીને બદલે દુ:ખદાયક બની ગઈ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application