યાત્રિયોની સુવિધા માટે કુકાવાવ સ્ટેશન પર રેલ ટિકિટ રિઝર્વેશનની સુવિધા

  • September 19, 2024 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના કુકાવાવ સ્ટેશન પર આજે તા.૧૮-.૦૯ બુધવાર થી રેલ ટિકિટ આરક્ષણ સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવશે. આ આરક્ષણ કેન્દ્ર સોમવારથી શનિવાર સુધી પ્રથમ શિફ્ટમાં સવારે ૮ થી ૧૧:૩૦ સુધી અને બીજી શિફ્ટમાં ૧૬ કલાક થી ૧૮:૩૦ સુધી ખુલ્લું રહેશે. રવિવારે રિઝર્વેશન સેન્ટર સવારે ૮ થી ૧૧:૩૦ વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે. ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે મુસાફરોને ઉપરોક્ત રિઝર્વેશન સેન્ટરનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application