પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ... રાજકોટમાં આપઘાત કરનાર રાધિકાએ ગત રાત્રે જ સ્ટોરી પોસ્ટ કરી'તી, તોફાની રાધા તરીકે કેમ જાણિતી થઈ

  • February 22, 2025 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણિતી રાધિકા  યુવતીએ અપઘાત કરી લીધો છે. ઇન્સ્ટાગ્રામમાં તોફાની રાધા તરીકે જાણિતી રાધિકા હર્ષદભાઈ ધામેચા (ઉં.વ.26)એ ઘરે જ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવતા તેમના ફોલોઅર્સમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. રાધિકાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે. તોફાની રાધાએ ગત રાત્રે જ એક સ્ટોરી પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે,  'ફેંસલા કરના હૈ કી, પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ' 


'તોફાની રાધા' એકાઉન્ટ પરથી ત્રણ સ્ટોરી અપલોડ થઈ હતી
રાધિકા તોફાની રાધા નામે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવતી હતી. એ એકાઉન્ટમાં 42 હજારથી પણ વધુ ફોલોઅર્સ છે. ત્યારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તોફાની રાધા પરથી 21 ફેબ્રુઆરીના રોજ રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ ત્રણ સ્ટોરી અપલોડ કરવામાં આવી હતી, જેમાંથી એક સ્ટોરીમાં 'ફેંસલા કરના હૈ કી, પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ' એ પ્રકારના લખાણ સાથે એક રીલને રિપોસ્ટ કરી હતી.


'તોફાની રાધા' ને પોલીસ સ્ટેશનમાં વીડિયો બનાવવો ભારે પડ્યો હતો! 
રાજકોટમાં તોફાની રાધા નામનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે તોફાની રાધાના ઈન્સ્ટાગ્રામમાં ત્રણ વિડીયો રિલ્સ વાયરલ થયા હતા. ગાંજા જેવા દેખાતા પદાર્થનું સેવન કરતી હોઈ, જેતપુર ટોલનાકાનું બેરિયર તોડતી હોઈ તે પ્રકારના ત્રણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વાયરલ થયેલા વીડિયો મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. 


બેખોફપણે રીલ બનાવી અપલોડ કરી 
તોફાની રાધાએ પોલીસ સ્ટેશનમાં ઉતારેલો વીડિયો બેખોફપણે રીલ બનાવી અપલોડ કર્યો હોવાથી ખળભળાટ મચી ગયો હતો. તમને જણાવીએ કે તોફાની રાધા અગાઉ મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂકી છે. ટોલનાકે પણ બેરીકેડ તોડી કાર હંકારી રહ્યાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા.


રોજ ઇન્સ્ટાગ્રામમાં વીડિયો અપલોડ કરતી
રાધિકા ઈન્સ્ટાગ્રામમાં અલગ-અલગ વીડિયો રોજ અપલોડ કરતી હતી. રાધિકા ગોવા ફરવા ગઈ હતી અને બાદમાં રાજકોટ આવીને તેણે આપઘાત કરી લીધો છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે. મૃતક યુવતી પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી તો પોલીસે મોબાઈલ ફોનના આધારે તપાસ હાથ ધરી છે. તેણે તેના પિતાને છેલ્લે ફોન કર્યો હતો અને કહ્યું હતુ કે, હું દુનિયા છોડીને જાઉં છું તો પિતાએ ઘટનાસ્થળે જઈને જોયું તો તેમની પુત્રીએ આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ તેમણે પરિવારજનોને જાણ કરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application