આજનો દિવસ RCBના ફેન માટે ખૂબ જ સ્પેશિયલ હોય શકે છે. કારણ કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમ આજે એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ IPL 2025 માટે કેપ્ટનની જાહેરાત કરશે. છેલ્લી સીઝન એટલે કે IPL 2024 માં, દક્ષિણ આફ્રિકાના ફાફ ડુ પ્લેસિસ RCB ની કેપ્ટનશીપ કરતા જોવા મળ્યા હતા પરંતુ ટીમે તેમને IPL 2025 માટે રિટેન કર્યા ન હતા કે મેગા ઓક્શનમાં તેમને ફરીથી ખરીદ્યા ન હતા. હવે ટીમ આજે 18મી સીઝન માટે કેપ્ટનની જાહેરાત કરશે. આ માટે કેપ્ટનશીપ જાહેરાત કાર્યક્રમ લાઈવ પણ જોઈ શકો છો. તો જાણી લો કે આ કાર્યક્રમ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકાશે.
આ કાર્યક્રમ ક્યારે થશે?
RCB આજે સવારે 11:30 વાગ્યે IPL 2025 માટે તેના કેપ્ટનની જાહેરાત કરશે.
ઇવેન્ટ લાઇવ ક્યાં જોવી?
કેપ્ટનશીપની જાહેરાત કાર્યક્રમનું સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા ટીવી પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે.
કોણ કેપ્ટન બની શકે છે?
IPL 2025 માટે RCB ના કેપ્ટનશીપ માટે વિરાટ કોહલીનું નામ ટોચ પર હોય તેવું લાગે છે. કોહલીએ 2021 સુધી ટીમની કમાન સંભાળી છે. આ પછી કોહલીએ કેપ્ટનશીપ છોડી દીધી. પછી ફાફ ડુ પ્લેસિસે ટીમની કમાન સંભાળવાનું શરૂ કર્યું. હવે 2025માં ડુ પ્લેસિસ દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા જોવા મળશે. ત્યારે ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે વિરાટ કોહલી ફરી એકવાર RCBનો કેપ્ટન બની શકે છે.
હવે એ જોવું રસપ્રદ રહેશે કે આ વખતે ટીમ કયા ખેલાડીને કેપ્ટન તરીકે પસંદ કરે છે. કોહલી ઉપરાંત ભારતીય બેટ્સમેન રજત પાટીદારનું નામ પણ કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યું છે. પાટીદારને ઘરેલુ ક્રિકેટમાં કેપ્ટનશીપનો અનુભવ છે. આ ઉપરાંત, પાટીદાર પણ RCB માટે સારું પ્રદર્શન કરી રહ્યા છે.
IPL 2025 માટે RCB ટીમ
વિરાટ કોહલી, રજત પાટીદાર, લિયામ લિવિંગસ્ટોન, ફિલ સોલ્ટ, જેકબ બેથેલ, દેવદત્ત પડિકલ, જીતેશ શર્મા, કૃણાલ પંડ્યા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ, રસિક દાર સલામ, સુયશ શર્મા, સ્વપ્નિલ સિંહ, નુવાન તુષારા, મનોજ ભંડગે, સ્વસ્તિક ચિકારા, લુંગી ન્ગીડી, અભિનંદન સિંહ, મોહિત રાઠી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech