રાજકોટ: મનપાનો સંગીત સંધ્યા કાર્યક્રમ ફ્લોપ, ગણી શકાય તેટલી સંખ્યામાં લોકો રહ્યા હાજર

  • November 24, 2023 10:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મનપા દ્વારા આજે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મનપાના 50માં સ્થાપના દિવસ પર સંગીત સંધ્યા અને મેયર એવોર્ડ એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. પરંતુ મનપા દ્વારા કરવામાં આવેલ સંગીત સંધ્યા કાર્યક્રમ ફ્લોપ રહ્યો હતો. મહત્વની વાત તો એ છે કે આ કાર્યક્રમમાં ગણી શકાય તેટલી સંખ્યામાં જ લોકો હાજર રહ્યા હતા.


મનપા દ્વારા આજે સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ગઝલ સમ્રાટ મનહર ઉધાસને બોલાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહન કુંડારિયા, રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ, રમેશ ટીલાળા તેમજ મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ હાજર રહ્યા હતા.


રાજકોટના આ અગ્રણીઓને અપાયા મેયર એવોર્ડ

ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી

સમાજસેવક હિમાંશુ માંકડ

જીવદયા પ્રેમી સુમન કામદાર

પર્યાવરણ પ્રેમી વી.ડી બાલા

નાટ્યપ્રેમી કૌશિક સિંધવ

સાહિત્યકાર દિલીપ જોશી

સમાજસેવીકા ઉષા જાની

ગાંધીવાદી બળવંત દેસાઈ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application