સુનાવણી દરમિયાન, એનજીઓનું પ્રતિનિધિત્વ કરતા વકીલ પ્રશાંત ભૂષણે બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે તે સંસ્થાની સ્વતંત્રતાનો પ્રશ્ન છે. પ્રશાંત ભૂષણે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં જ્યાં ભાજપ સત્તામાં છે, ત્યાં કેગ દ્વારા ઓડિટ બંધ કરવામાં આવી છે. તાજેતરના સમયમાં કેગએ પોતાની સ્વતંત્રતા ગુમાવી દીધી છે. બેન્ચે તેમને તાજેતરના વર્ષોમાં કેગની સ્વતંત્રતા પર શંકા કરવાના કારણો રેકોર્ડ પર લાવવા કહ્યું.
પ્રશાંત ભૂષણે વધુમાં કહ્યું કે, કેગ રિપોર્ટ ઘટતો જઈ રહ્યો છે. કર્મચારીઓની સંખ્યા ઘટી રહી છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ ડિરેક્ટર અને મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકોમાં હસ્તક્ષેપ કર્યો હતો જેથી તેમની સ્વતંત્રતા સુનિશ્ચિત થાય. પ્રશાંત ભૂષણે ભારપૂર્વક દલીલ કરી હતી કે કેગ માટે પણ સમાન દિશાનિર્દેશો જરૂરી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટે નિર્દેશ આપવો જોઈએ કે કેગની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા પ્રધાનમંત્રી, વિપક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશની બનેલી સ્વતંત્ર અને તટસ્થ પસંદગી સમિતિ સાથે પરામર્શ કરીને પારદર્શક રીતે કરવામાં આવે. જયારે કેગની નિમણૂક માટેની સૂચનાઓ માહિતી આયોગ અને કેન્દ્રીય તકેદારી આયોગ સહિત અન્ય સંસ્થાઓની નિમણૂક જેવી જ હોવી જોઈએ. કેગએ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ સાથે સંબંધિત છે જે કેન્દ્ર અને રાજ્ય સ્તરે સમગ્ર દેશની નાણાકીય વ્યવસ્થાનું નિયંત્રણ/સમીક્ષા કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech