પંજાબ : ફિરોજપુરના ગુરુદ્વારા સાહિબ પાસે ગોળીબાર, 3 લોકોના મોત

  • September 03, 2024 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





પંજાબના ફિરોઝપુરમાં કારગર ગુરુદ્વારા સાહિબ પાસે ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગમાં 3 લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, અહીં બાઇક સવાર બે લોકોએ એક કાર પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન કારની અંદર ચાર લોકો બેઠા હતા અને તેમાંથી ત્રણના મોત થયા હતા.



મળતી માહિતી મુજબ, જ્યારે કેટલાક લોકો ગુરુદ્વારામાંથી બહાર આવ્યા અને કારમાં બેસવા ગયા ત્યારે ત્યાં હાજર બાઇક સવાર હુમલાખોરોએ જોરદાર ગોળીબાર શરૂ કરી દીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, હુમલાખોરોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારાઓ બાઇક પર ફરાર થઇ ગયા હતા. હાલ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે અને હત્યારાઓની શોધ ચાલી રહી છે. હાલમાં, વિગતોની રાહ જોવાઈ રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application