જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલા એક પેટ્રોલ પંપમાં ડીઝલ ભરાવ્યા પછી તેની રકમ પૈકીનો આપેલો ચેક બેંકમાંથી નાણાના અભાવે પાછો ફરતાં અને ચેક મુજબની રકમ નહીં આપતાં અદાલત નો આશરો લેવાયા પછી અદાલતે ટ્રકના માલિકને કસુરવાન ઠેરવી સજા ફટકારી છે.
આ કેસની વિગત એવી છે કે જામનગર નજીક નાઘેડીના પાટીયા પાસે આવેલા શહીદ વીર રમેશ પેટ્રોલિયમમાં સરમત ગામના રણજીતસિંહ અભેસંગ જાડેજા નામના ટ્રક ચાલકે પોતાના ટ્રકમાં ડીઝલ ભરાવવા માટે પંપમાં ખાતું ખોલાવ્યું હતું, અને પ,૩૫,૦૩૬.૩૧ નું ડીઝલ ભરાવ્યા પછી તે રકમનો ચેક આપ્યો હતો, અને ચેક બેંકમાંથી નાણાંના અભાવે પાછો ફર્યો હતો, જે અંગે ટ્રકમાલિક સામે નોટિસ આપવા છતાં ચેક મુજબની રકમ આપી ન હોવાથી જામનગરની અદાલતમાં ચેક રીટર્ન અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે ડીઝલના પૈસા નહીં ચુકવનાર ટ્રક માલિક રણજીતસિંહ જાડેજાને તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા અને ચેક ની રકમ ૯૦ દિવસમાં કરવા હુકમ ફરમાવ્યો છે, અને જો રકમ ભરપાઈ ન કરે તો વધુ ચાર મહિનાની સજાનો હુકમ પણ ફરમાવ્યો છે. આ સજા સમયે આરોપી અદાલત સમક્ષ હાજર થયો ન હોવાથી અદાલતે વોરંટ ઇસ્યુ કરી જિલ્લા પોલીસ વડા મારફતે તેની બજવણી કરવા આદેશ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોબોટે સીડી પરથી કૂદતા નીચે પટકાયો, તો દુનિયા શા માટે તેને ગણાવી રહી છે 'આત્મહત્યા' ?
July 06, 2024 11:52 PMનવા ફોજદારી કાયદા પર કોંગ્રેસના નેતા ચિદમ્બરમના નિવેદન પર લાલઘૂમ થયા ઉપરાષ્ટ્રપતિ ધનખર
July 06, 2024 11:45 PMસોનાક્ષી-લવના અણબનાવ પર શત્રુઘ્ન સિંહાએ તોડ્યું મૌન, કહ્યું- હું સહન નહિ કરુ...
July 06, 2024 11:27 PMચારધામ દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ માતગે માઠા સમાચાર, ભારે વરસાદના એલર્ટ બાદ યાત્રા મોકૂફ
July 06, 2024 11:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech