પૂણે પોર્શે કેસ: તમામ ખાતાં કેટલાં ભ્રષ્ટ છે તેનો ઉત્તમ નમુનો

  • June 01, 2024 11:27 AM 

પૂણે પોર્શે કેસે આપણા દેશમાં પૈસા વેરો તો બધા જ ખાતાંઓ, અધિકારીઓ અને જવાબદારો પગમાં અલોતવા માંડે છે તેનો ઉત્તમ નમુનો છે. પોલીસે નિવેદન લેવાી માંડીને કેસ નોંધવા અને લોહીના સેમ્પલ લેવા સુધીના દરેક તબક્કે પૈસા ખાઈને આરોપીને બચાવવા માટે તનતોડ મહેનત કરી, ન્યાયતંત્રએ આવા ગંભીર ગુનામાં આરોપીને માત્ર એક નિબંધ લખવાની સજા આપીને છોડી મુક્યો, ડોકટરોએ ત્રણ લાખ રૂપિયા લઈને સેમ્પલ બદલાવી નાખ્યા, આરોપીના પરિવારે ડ્રાઈવરનું અપહરણ કરીને તે જ કાર ચલાવતો હોવાનું સાબિત કરવાની કોશિશ કરી, ધારાસભ્યો રાતે બે વાગે હોસ્પિટલ દોડી ગયા અને આરોપીને બચાવવા કોશિશ કરી. એવા સવાલો ઉઠી રહ્યા છે કે જો આ મામલે કેટલાક આગેવાનો અને કેટલાક સામાજિક કાર્યકરોએ અવાજ ઉઠાવ્યો ન હોત અને સોશિયલ મીડિયાના માધ્યમી સામાન્ય લોકોમાં ઉગ્ર પ્રત્યાઘાત ન પડ્યા હોત તો શું આ મામલે કાર્યવાહી કરવામાં આવી હોત? આ પ્રશ્ન ઉઠાવવો હવે અનિવાર્ય બની ગયો છે. આ સમગ્ર મામલામાં ખળભળાટ મચી જવાના લગભગ એક સપ્તાહ બાદ પોલીસ ઈન્સ્પેક્ટર રાહુલ જગદાલે અને યરવડા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર વિશ્વના તોડકરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ યેલા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટરની અટક તોડકરી છે એ જોગાનુજોગ હશે? ઘટનાની માહિતી મળ્યા બાદ બંને પોલીસ અધિકારીઓએ વાયરલેસ પોલીસ કંટ્રોલ રૂમને સમયસર જાણ કરી ન હતી. અધિકારીઓ સામેની આ કાર્યવાહીી સ્પષ્ટ યું કે ઘટનાના દિવસે પોલીસ પર જે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તે પાયાવિહોણી ની. આ મામલે પોલીસ દ્વારા વિલંબ યો હતો. આરોપીઓના બ્લડ સેમ્પલ પણ મોડેી લેવામાં આવ્યા હતા. આ ઘટના સવારે ૩ વાગ્યે બની હતી, પરંતુ સેમ્પલ લેવામાં ૭-૮ કલાકનો વિલંબ યો હતો. મોટો પ્રશ્ન એ હતો કે શા માટે પ્રારંભિક એફઆઈઆરમાં જ દોષિત હત્યાની કલમ ૩૦૪ લાગુ કરવામાં આવી ન હતી. લોકોની તીવ્ર પ્રતિક્રિયા બાદ આ કેસમાં ગંભીર કલમો લગાવવામાં આવી હતી. આ તમામ શંકાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારી બાબત એ છે કે ઘટના બાદ પરિવારના ડ્રાઈવરે પોલીસને નિવેદન આપ્યું હતું કે કાર ચલાવનાર આરોપી નહીં પણ તે પોતે જ હતો, પરંતુતપાસમાં ડ્રાઈવરનું નિવેદન ખોટું હોવાનું બહાર આવ્યું. આરોપીના પરિવારે ડ્રાઈવરનું અપહરણ કર્યું હતું અને તેના પર ગુનાને પોતાના પર લેવા દબાણ કર્યું હતું. તે પછી ડ્રાઈવર ફરી ગયો હતો અને વાતના વેરી નાખ્યા હતા. આ કેસમાં માત્ર પોલીસ સ્તરે ગંભીર ભૂલો જ ની ઈ, પરંતુ સિસ્ટમમાં ખામીઓ પણ સામે આવી છે જેને સુધારવાની જરૂર છે. બે પોલીસકર્મીઓને વિલંબ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ માત્ર તેના પરી જ જવાબદારીનું મૂલ્યાંકન કરી શકાતું ની. વરિષ્ઠ અધિકારીઓના સ્તરે શું યું છે તે પણ જોવું જોઈએ. સમાજમાંી, લોકો તરફી ખૂબ જ આકરી પ્રતિક્રિયા હતી, દબાણ હતું. આરોપીને તાત્કાલિક જામીન, ’નિબંધ લેખન’ જેવી સજા અને અન્ય શરતો, જામીન રદ કરવા અને આરોપીને સુધાર ગૃહમાં મોકલવા અંગેનો જનઆક્રોશ, આ બધાએ વધુ પ્રશ્નો ઉભા કર્યા છે. આ એક જ કેસમાં તપાસ અને ન્યાય સો જોડાયેલી તમામ એજન્સીઓની કાર્યવાહી પર સવાલો ઉભા યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application