સમાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની તમામ મહત્વની રાજ્ય સરકાર ની કચેરીઓમાં જગ્યાઓ ખાલી હાલતમાં છે તે બાબતે યુવા દલિત સમાજ જામનગર પ્રમુખ ચેતન વી. ભાંભી દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરતા પત્ર મોકલવામાં આવ્યું છે.
આ પત્રમાં જણાવ્યું છે કે જામનગર જિલ્લા ખાતે વિકસતી જાતિ નાયબ નિયામક અને સમાજ સુરક્ષા અધિકારી બંને કચેરીઓમાં વિકસીત જાતિ નાયાબ નિયામક અને સામાજ સુરક્ષા અધિકારી ક્લાસ ૧ ની જગ્યાઓ ઘણાં વર્ષોથી ખાલી છે જેના લીધે લોકોને ખુબજ મુશ્કેલી હાલાકી ભોગવવી પડે છે ખાલી જગ્યાઓ વિકસતી જાતિ નાયબ નિયામક અને સમાજ સુરક્ષા અધિકારી ક્લાસ ૧ બંને જગ્યા ભરવા આવે તે ખુબજ જરૂરી છે.
છેલ્લા ઘણાં સમયથી વિકસતી જાતિ નાયબ નિયામક અને સમાજ સુરક્ષા અધિકારી લાંબા સમયથી સુધી આ જગ્યાઓ ખાલી હાલતમાં છે હાલ આ કચેરીઓ નું કામકાજ અને વહીવટી ઇન્ચાર્જ થી કરવામાં આવતું હોવાથી જામનગર જિલ્લાના અરજદારો કામો સમયસર થતાં ન હોઈ લોકો નીરાશ થઈ રહીયા છે.
જામનગર શહેર યુવા દલિત સમાજ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રી અને સમાજ કલ્યાણ મંત્રી ને પત્ર લખીને જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી વિકસતી જાતિ નાયબ નિયામક અને સમાજ સુરક્ષા અધિકારી (ક્લાસ. ૧) જગ્યાઓ ભરવા આવેલ નથી, ખાસ કરીને જામનગર શહેરના લોકોને સરકાર ની વિવિધ યોજનાઓ લાભો મળતા નથી અરજદારો ને ધરમે ના ધક્કાઓ થઈ રહ્યા છે કચેરીઓમાં હાલના બંને અધિકારીઓ પાસે (ઇ.ચા.) ચાર્જથી કામકાજ અને વહીવટી ચલાવવામાં આવે છે.
જામનગર જિલ્લાના લોકોના કામો ટલ્લે ચડે છે જેથી કરી રાજ્ય સરકાર દ્વારા મારી ખાસ વિનંતી છે કે આ બંને કચેરીઓની અંદર જવાબદારી અધિકારીઓની જગ્યાઓ ઉપર તાત્કાલિક ધોરણે અને કાયમી ધોરણે બંને અધિકારીઓની નિમણૂક કરવામાં આવે, જેથી કરીને લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી શકે અને અરજદારો ધર્મના ધક્કા ન થાય તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહળવદમાં ભારે પવન ફૂંકાયા બાદ વરસ્યો વરસાદ
May 06, 2025 12:13 PMકામદારોને સફાઈ માટે ગટરમાં ઉતારાતા હોવાની સરકારની હાઈકોર્ટમાં કબૂલાત
May 06, 2025 12:11 PMગોંડલ પંથકમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ
May 06, 2025 12:09 PMબિહારના કટિહારમાં સ્કોર્પિયો ટ્રેક્ટર સાથે અથડાતા 8 જાનૈયાના મોત, 2 ગંભીર
May 06, 2025 12:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech