ગીરગઢડા પંથકમાં ખનીજ ચોરી સબબ ૨૫ લાખનો મુદ્દામાલ કબજે

  • February 07, 2025 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ગઈકાલે ખનીજના ગેરકાયદેસર ખનન અને વહન સબબ ખાણ અને ખનીજ કચેરી, ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્રારા કુલ છ ચકરડી મશીન, બે જનરેટર મશીન અને એક ટ્રેકટરને પકડી અંદાજિત રૂા. ૨૫ લાખનો મુદ્દામાલ જ કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલમાં મોજે. રાતડ, તા.ગીર ગઢડા ખાતેથી બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજના ગેરકાયદેસર વહન સબબ એક ટ્રેકટર પકડી પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય ખાનગી માલિકીની બે અલગ–અલગ જગ્યાએથી બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજના ગેરકાયદેસર ખનીજના ગેરકાયદેસર ખનન સબબ છ ચકરડી મશીન અને બે જનરેટર મશીન પકડી પાડવામાં આવ્યાં હતાં. જ કરેલાં આ મુદ્દામાલને નાયબ કલેકટર કચેરી કમ્પાઉન્ડ, ઉના ખાતે રાખવામાં આવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application