રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024-25 મિલ્કતવેરો તથા પાણી વેરાની ભરપાઇ કરવા માટે તા.1-4-2024થી વેરો વસુલવાની કામગીરી શરૂ થયેલ છે. જેમાં મિલ્કતવેરા વળતર યોજના અંતર્ગત આજ સુધીમાં 3,27,828 કરદાતાઓ દ્વારા કુલ 242.62 કરોડ જેટલા વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) દ્વારા 92,776 કરદાતાઓએ વેરો કુલ 95.45 કરોડ અને ઓન લાઇનના દ્વારા 2,35,052 કરદાતાઓએ કુલ 147.17 કરોડની ભરપાઇ કરેલ છે. કુલ વસુલ કરેલ રકમ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ 24.05 કરોડનું ડિસ્કાઉન્ટ આપેલ છે.
મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે તા.1-06-2024 થી 28-6-2024 સુધીમાં કુલ 21,262 કરદાતાઓએ કુલ 18.23 કરોડ જેટલા વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) દ્વારા 8,956 કરદાતાએ વેરો કુલ 10.47 કરોડ અને ઓન લાઇન દ્વારા 12,306 કરદાતાઓએ કુલ 7.76 કરોડની ભરપાઇ કરેલ છે. જુન માસમાં વસુલ કરેલ રકમ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ 6.99 કરોડનું ડિસ્કાઉન્ટ આપેલ છે.
હાલ તા.30-06-2024 સુધી પાંચ વળતર યોજના (મહીલા કરદાતાઓ માટે 10 ટકા વળતર યોજના) ચાલુ હોય કરદાતાઓને વળતર યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech