બજરંગપુરના પ્રૌઢ મહિલાનું તળાવમાં ડૂબી જતાં મૃત્યુ

  • September 27, 2024 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં રહેતા ૫૦ વર્ષના પ્રૌઢ મહિલાનું તળાવમાં ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું છે.


આ બનાવની વિગત એવી છે કે બજરંગપુર ગામમાં રહેતા લીલાબેન જીતેન્દ્રભાઈ શ્રીમાળી નામના ૫૦ વર્ષના પ્રૌઢ મહિલા, કે જેઓ આજે સવારે પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘેરથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા, ત્યારબાદ ગામના પીપળીયા તળાવના પાણીમાં પડી જતાં ડૂબી જવાના કારણે તેઓ ને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતક ના પતિ જીતેન્દ્રભાઈ ડાયાભાઈ શ્રીમાળીએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application