રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે સતત વધી રહી છે. ત્યારે અમદાવાદથી ડાકોર જતી લકઝરી બસને અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે. જેમાં બે લોકોના મોત થયા છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ - ડાકોર એક્સપ્રેસ હાઇવે પર ડાકોર એગ્ઝિટ ટોલ બુથ પાસે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. મૃતકો અમદાવાદના રહેવાસી હોવાની વિગતો પણ સામે આવી છે. બસચાલકની ગંભીર બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હોવાનું બસમાં સવાર પેસેન્જર જણાવી રહ્યાં છે.
સૂત્રોના જણાવ્યા પ્રણાણે બસ ચાલકની ગંભીર બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો છે. બસ ચાલક બેફામ અને બેફિકર થઈ બસ ચલાવતો હતો. અકસ્માતની ઘટનાને પગેલે 108 મારફતે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે ખેડા SP રાજેશ ગઢીયા પોહચ્યા હતા. અક્સ્માતને લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોસ્કોમાં PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, રશિયન કલાકારોએ હિન્દી ગીત પર કર્યુ નૃત્ય
July 08, 2024 11:40 PMજમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન શહીદ, 5 ઘાયલ
July 08, 2024 11:36 PMગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ
July 08, 2024 11:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech