જેલની દિવાલ કૂદી ભાગવાનો પ્રયાસ કરતા કેદી હોસ્પિટલ બીછાને પહોંચ્યો

  • May 08, 2025 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મધ્યસ્થ જેલમાં જામનગરના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા પાકા કામના કેદીએ દિવાલ સુધી ભાગવાનો પ્રયાસ કરતા જેલ સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. ભાગવાના પ્રયાસમાં કેદીને પગમાં ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ કેદી સામે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટની મધ્યસ્થ જેલમાં જામનગરના હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદી આદમ ઉર્ફે જાવેદ ઉર્ફે આમદ સીદિકભાઈ સંધિ (ઉ.વ 50 રહે.ભગવતી સોસાયટી દૂધસાગર રોડ, રાજકોટ) ગઈકાલે જેલમાં હતો ત્યારે જેલની મુખ્ય દિવાલ કૂદી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે બહારના ભાગે પડી જતા જેલના સ્ટાફે તેને પકડી લીધો હતો.

જેલમાંથી ભાગી જવાના પ્રયાસમાં કેદી આદમને પગમાં ઈજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે જાણ કરાતા પ્ર.નગર પોલીસના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કર્યા બાદ મધ્યસ્થ જેલના ઇન્ચાર્જ જેલર ગ્રુપ-2 ના અશોકસિંહ રાઠોડ (ઉ.વ 38) ની ફરિયાદ પરથી કેદી આદમ ઉર્ફે જાવેદ સામે ગુનો દાખલ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application