શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં આચાર્ય અને વહીવટી કર્મચારી વિભાગની બેઠકો બિનહરીફો

  • September 07, 2024 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે વધુ બે બેઠકો બિનહરીફ થઈ છે. આચાર્યની બેઠક અને વહીવટી કર્મચારીની બેઠક પર એક એક જ ઉમેદવાર બાકી રહેતા આ બંને બેઠકો બિનહરીફ થઈ છે. આ સાથે ૬ બેઠકો બિનહરીફ થતા હવે માત્ર સંચાલક મંડળ ની બેઠક અને સરકારી શાળાના શિક્ષકની બેઠક માટે ચૂંટણી યોજાશે. જેમાં સૌથી વધુ રસપ્રદ સંચાલક મંડળની બેઠક પર ડો પ્રિયવદન કોરાટ અને જેવી પટેલ વચ્ચે ટક્કર જામશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા નવ સભ્યોની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ચકાસણી હાથ ધરવામાં આવી હતી આ બેઠકમાંથી ચાર બેઠક બિન હરીફ થઈ હતી માધ્યમિક શિક્ષણ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ઉત્તર બુનિયાદી શાળાના આચાર્ય શિક્ષક બીએડ કોલેજના પ્રિન્સિપાલ ની બેઠકનો સમાવેશ થાય છે યારે વાલી મંડળની બેઠક પર એક પણ ફોર્મ માન્ય ન રહેતા આ બેઠક માટે ચૂંટણી યોજાશે નહીં ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઉમેદવારી પત્રો પાછા ખેંચવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગઈકાલે બપોર સુધીમાં ઉમેદવારી પત્ર પર જ ખેંચવાની મુદત હતી બોર્ડની વધુ બે બેઠકો બિનહરીફ થઈ હતી બોર્ડની તમામ બેઠકો બિનહરીફ થાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ ઉમેદવારો ફોર્મ ખેંચવા માટે દબાણ થયું હતું જેમાં આચાર્યની બેઠક પર માન્ય ઉમેદવાર ભાનુપ્રસાદ પટેલ સિવાયના બાકીના બે ઉમેદવારો ફોર્મ પરત લઈ લેતા આ બેઠક બિનહરીફ થઈ હતી વહીવટી કર્મચારીની બેઠક પર માન્ય ઉમેદવાર વિનોદ પટેલ સિવાયના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા આ બેઠક બિનહરીફ થઈ હતી હવે શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં માત્ર બે બેઠકો બાકી રહે છે જેમાં સંચાલક મંડળની બેઠક અને સરકારી શાળાના શિક્ષકની બેઠકનો સમાવેશ થાય છે
સંચાલક મંડળની બેઠક દાવેદાર તરીકે ડો. પ્રિયવદન કોરાટ યારે તેમની સામે સંચાલક મંડળના માન્ય ઉમેદવાર તરીકે જે.વી. પટેલ છે. ડો.પ્રિયવદન કોરાટ અને જે.વી.પટેલની ટક્કર જામશે ચકાસણીની કાર્યવાહી પુર્ણ થયા બાદ ઉમેદવારી પત્રો પરત ખેંચવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  આ બે બેઠકોમાં પર સંચાલક મંડળની બેઠક અને સરકારી શાળાના શિક્ષકની બેઠકનો સમાવેશ થાય છે. જેમાં સંચાલક મંડળની બેઠક પરની ચૂંટણી રસપ્રદ બનશે. સંચાલક મંડળદ્રારા તેમના માન્ય ઉમેદવાર તરીકે જે.વી. પટેલનું નામ નક્કી કયુ છે. યારે સંચાલક મંડળ સંયોજક સમિતિ દ્રારા પોતાના ઉમેદવાર તરીકે ડો. પ્રિયવદન કોરાટનું નામ નક્કી કયુ છે. આ બંને વચ્ચે ખરાખરીનો જગં જામશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application