અગ્નિકાંડની તપાસ વચ્ચે PMના પ્રિન્સિપલ સેક્રેટરી મિશ્રા ગુજરાતમાં

  • May 31, 2024 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ અગ્નિકાંડમાં મ્યુનિસિપલ કોર્પેારેશનથી લઈને રાજય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધીઓની ભયંકર બેદરકારી બહાર આવી રહી છે. તેની તપાસનો ઘમઘમાટ ચાલી રહ્યો છે તેવામાં ગઈ કાલે અચાનક જ દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી પી.કે.મિશ્રા ગુજરાત આવી પહોંચ્યા છે. તેમની અચાનક ગુજરાતની મુલાકાત ના પગલે ગુજરાત રાયના સનદી અધિકારીઓમાં એક ચર્ચાનો વિષય બન્યો છે.

સ્થાનિક સ્વરાયની સંસ્થાના અધિકારી, સ્ટેટ કેડર અને આઈએએસ આઈપીએસ ઓફિસરોની ભૂમિકાને લઈને સવાલો ઉભા થયા છે. ફરજ અદાયગીમાં અક્ષમ્ય બેદરકારીઓ બહાર આવી છે તેને લઈને પહેલાથી જ બ્યુરોકેટસ પોતાના બચાવની દિશામાં સક્રિય છે. તેવામાં વડાપ્રધાનના અગ્રસચિવ મિશ્રાનું ગુજરાત હોવુ અધિકારીઓ મા ચિંતાનું કારણ ઉભરી રહ્યુ છે.

સત્તાવારપણે તેઓ આજે વડનગરમાં વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેકટની સમિક્ષા અને મૂલાકાત કરશે તેમ કહેવાયુ છે.
વડનગરથી પરત આવ્યા બાદ બપોરે ૩–૧૫ કલાકથી સાંજના ૭– ૧૫ કલાક સુધી એટલે કે ચારેક કલાકના રોકાણથી બ્યુરોકટસમાં અનેક પ્રકારના તર્ક વિતર્ક પ્રર્વતી રહ્યા છે.આ મુલાકાત દરમિયાન તેઓ કોને મળે છે તેના પર સૌની નજર છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application