પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડેનમાર્કના વડા પ્રધાન મેટ્ટે ફ્રેડરિક્સન પર હુમલાની નિંદા કરી હતી. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારત આ હુમલાની સખત નિંદા કરે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું ડેનિશ વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેન પર હુમલાના સમાચાર સાંભળીને ખૂબ જ ચિંતિત છું. અમે હુમલાની નિંદા કરીએ છીએ. હું મારા મિત્રને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરૂ છું.
ઉલ્લેખનીય છે કે, ડેનમાર્કના વડા પ્રધાન મેટ્ટે ફ્રેડરિક્સન પર રાજધાની કોપનહેગનની શેરીઓમાં હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાથી વડાપ્રધાન આઘાતમાં છે. શહેરની વચ્ચોવચ એક ચોક પર એક વ્યક્તિ વડાપ્રધાન તરફ આગળ વધ્યો અને તેમને ટક્કર મારી હતી. જોકે આરોપી હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે હુમલાખોરની પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ હુમલા પાછળનો હેતુ હજુ જાણી શકાયો નથી.
આરોપીની કરાઈ ધરપકડ
પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે તેઓએ એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. સોરેન કજેરગાર્ડ નામના એક વ્યક્તિ, જે આ ઘટના બની હતી તે સ્થળે કામ કરતા હતા, તેમણે જણાવ્યું હતું કે, “એક વ્યક્તિએ આવીને વડા પ્રધાનને તેમના ખભા પર જોરથી ધક્કો માર્યો હતો, જેના પછી તે તેની બાજુમાં પડી હતી. તે થોડી તણાવગ્રસ્ત દેખાતી હતી.
આ હુમલો 9 જૂને યોજાનારી યુરોપિયન યુનિયનની ચૂંટણી પહેલા થયો હતો. ડેનિશ પીએમ ફ્રેડરિકસેન સોશિયલ ડેમોક્રેટ્સના EU લીડ ઉમેદવાર ક્રિસ્ટલ શાલ્ડેમોસ સાથે પ્રચાર કરી રહ્યા છે. ડેનમાર્કના પર્યાવરણ પ્રધાન મેગ્નસ હ્યુનિકે ટ્વિટર પર કહ્યું: ‘મેટને સ્વાભાવિક રીતે જ હુમલાથી આઘાત લાગ્યો છે. હું એટલું જ કહી શકું છું કે આ ઘટનાએ તેની નજીકના તમામ લોકોને આંચકો આપ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકુછડી નજીક મીનીબસ હડફેટે ભાઇની નજર સામે બહેનનું નિપજ્યુ કણ મોત
May 09, 2025 02:45 PM‘સમજી જજો આતંકવાદીઓના આકાઓ, નહીં તો આ તમારી સગી નહી થાય’: પૂજ્ય ભાઇશ્રી
May 09, 2025 02:44 PMપૈસાના ચક્કરમાં ફસાયેલા મિત્રની મદદ કરનાર યુવક પોતે જ ફસાઈ જતા ઝેરી પ્રવાહી પીધું
May 09, 2025 02:43 PMઆઠ દિવસમાં રાજીવનગરના રસ્તા સમથળ નહી થાય તો મનપા સામે થશે આંદોલન
May 09, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech