મહાકુંભમાં પીએમ મોદીએ સંગમમાં ડૂબકી લગાવી, રૂદ્રાક્ષની માળા ફેરવી, આ દૃશ્યો જોવા સંગમ કિનારે લોકોની ભીડ એકઠી થઈ, જુઓ વીડિયો

  • February 05, 2025 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા. અહીં મોદીએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. તેમજ રૂદ્રાક્ષની માળા પણ ફેરવી હતી. સીએમ યોગી અને કેટલાક સંતો પણ તેમની સાથે રહ્યા હતા. તેઓ પ્રયાગરાજમાં લગભગ અઢી કલાક રોકાશે.


પીએમ મોદી સ્નાન કરવા સંગમ નોઝ પર પહોંચ્યા હતા. યુપીના સીએમ યોગી આદિત્યનાથની સાથે સુરક્ષા ગાર્ડ પણ તેમની સાથે હાજર હતા. વડાપ્રધાનને જોવા માટે સંગમના કિનારે ઘણા લોકો ભેગા થયા છે. પીએમ મોદીએ સંગમ નોજ પહોંચતા પહેલા હાથ હલાવતા લોકોનું અભિવાદન કર્યું હતું


સવારે PM મોદી પ્રયાગરાજ પહોંચ્યા હતા. બમરૌલી એરપોર્ટ પર રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી, બંને નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય અને બ્રજેશ પાઠકે PMનું સ્વાગત કર્યું હતું. 54 દિવસમાં PMની આ બીજી મુલાકાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઓ સાધુ-સંતોને પણ મળી શકે છે.



મહાકુંભમાં જ્યાં વડાપ્રધાનનો કાર્યક્રમ છે તે વિસ્તારો NSG, SPGના કબ્જામાં લેવામાં આવ્યા છે. મેજિસ્ટ્રેટ અને પોલીસ અને આરએએફના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. ગંગાના ઘાટ સુરક્ષા વધારી દેવામાં આવી છે. શહેરથી લઈને મહાકુંભ મેળા સુધીના શકમંદોની તપાસ કરવામાં આવી રહી છે.


મોદીના આગમનના એક દિવસ પહેલા સીએમ યોગી મહાકુંભમાં પહોંચ્યા હતા અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. મંગળવારે 75 લાખ લોકોએ સંગમમાં સ્નાન કર્યું. અત્યારસુધીમાં 38 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે.




અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર પુરીએ કહ્યું- કેટલીક માતાઓ અને બહેનોએ તેમને કહ્યું કે કચ્છ બનિયાન ગેંગ અને યુટ્યુબર ગેંગના લોકોએ મેળાના વાતાવરણને ડહોંળવાનું કાવતરું ઘડ્યું હતું. આ મામલે તપાસ થવી જોઈએ, તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application