એરપોર્ટ પર જ બેઠક કરતા વડાપ્રધાન મોદી

  • May 07, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યા પછી સીધા જ ગુજસેલના કોન્ફરન્સમાં પહોંચ્યા હતા યાં તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સાથે બધં બારણે ૨૫ લોકસભા અને પાંચ વિધાનસભા બેઠક માટે આખરી સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેઓ રાજભવન જવા રવાના થયા હતા.

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચે તે પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નું આગમન થયું હતું તેમનું સ્વાગત ગુજરાત રાયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કયુ હતું અમિત શાહ એરપોર્ટથી સીધા થલતેજ સ્થિત તેમના નિવાસ સ્થાને જવા રવાના થયા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર ઉતરાયણ કરતા તેમને મુખ્યમંત્રી અને પાર્ટી અધ્યક્ષ સીઆર પાટીલે સ્વાગત કયુ હતું.
રાયમાં ચૂંટણીની આચારસંહિતા અમલી હોવાથી રાજભવન ખાતે રાજકીય બાબતો અંગે બેઠક કરી ન શકાય આથી એરપોર્ટ પર જ ચૂંટણી અંગે ભાજપની તૈયારી મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા માઇક્રોલેવલ મેનેજમેન્ટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ સમીક્ષા કરી હતી.અને સી આર પાટીલ અમદાવાદ એરપોર્ટ પરથી જ સીધા સુરત જવા રવાના થયા હતા. અને વડાપ્રધાન રાજભવન પહોચયા હતા જયા તેમનુ સ્વાગત રાજયપાલ આચાર્ય દેવવ્રત એ કરયુ હતુ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application