રાષ્ટ્ર્રપતિ બન્યા બાદ દ્રોપદી મુર્મુ આગામી તારીખ ૧૨ ના રોજ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે દિલ્હીથી ખાસ વિમાનમાં રાષ્ટ્ર્રપતિ રાજકોટ આવી પહોંચશે અને રાજકોટમાં એરપોર્ટ પર ટૂંકું રોકાણ કરીને ત્યાંથી સીધા જ ટંકારા જવા નીકળી જશે.
આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનદં સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં તેમની જન્મ જયંતી નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં રાષ્ટ્ર્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહેવાના છે. કાર્યક્રમ પૂરો થયા બાદ ટંકારાથી રાજકોટ આવશે અને અહીંથી દિલ્હી જવા નીકળશે.
રાષ્ટ્ર્રપતિની રાજકોટની અને ટંકારા ની મુલાકાતને ધ્યાનમાં રાખી અત્યારથી જ તે માટેની તૈયારીમાં તત્રં લાગી ગયું છે. એરપોર્ટથી ટંકારા સુધીના સમગ્ર રોડ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવા સહિતની કામગીરી માટે એક મીટીંગ પણ ટુક સમયમાં બોલાવવામાં આવશે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ, પ્રોટોકોલ સહિતની બાબતોની વ્યવસ્થા માટે જિલ્લા કલેકટર કચેરીમાં આ સંદર્ભે આગામી દિવસોમાં મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે.
ટંકારા મોરબી જિલ્લામાં આવતું હોવાથી મોરબી જિલ્લા કલેકટર અને પોલીસ તત્રં દ્રારા પણ તૈયારીઓ શ કરી દેવામાં આવી છે. તારીખ ૧૨ ના રોજ રાષ્ટ્ર્રપતિ કેટલા વાગે આવશે ?ટંકારામાં કેટલા સમય માટે રોકાણ કરશે? અને રાજકોટ થી રિટર્ન દિલ્હી જવા માટે કયારે નીકળશે? તે સહિતનો ડીટેલ પ્રોગ્રામ આગામી દિવસોમાં આવી જશે અને તે આવી ગયા પછી રિહરસલ કરવામાં આવશે.
રાષ્ટ્ર્રપતિની સાથોસાથ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાયપાલ સહિતના વીવીઆઈપીઓ પણ રાજકોટ અને ટંકારા આવે તેવી શકયતાને ધ્યાનમાં રાખી અત્યારથી જ તૈયારીઓ શ કરી દેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech