જામનગર જિલ્લાના મોટી ખાવડીના સહદેવસિંહ પ્રતાપસિંહ જાડેજા તથા કાનાછીકારી ગામના હરદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા એ જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ કક્ષા એ શાપર ગામની ગૌચરની સરકારી જમીનમાં ગેરકાયદે દબાણો, માટીનું મોટાપાયે ખોદકામ, પાકા બાંધકામો અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
આવેદનપત્રમાં જણવ્યા પ્રમાણે ગૌચરની જમીન સર્વે નં. ર૦ર, ૧૯૯ ની જમીન આવેલ છે. ત્યાં કેટલાક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા છે. આ જમીનમાંથી મોટાપાયે ગેરકાયદે માટી કાઢી તેનું વેંચાણ કરવામાં આવે છે અને રોયલ્ટીની ચોરી કરે છે. કોઈપણ જાતના આધાર-પૂરાવા કે મંજુરી વગર આવા કૃત્યો ચાલી રહ્યા છે.
આ ઉપરાંત પાકા બાંધકામો કરી દેવામાં આવતા ખેતીની જમીન તરફ જવાના વરસો જુના ગાડા માર્ગો બંધ થઈ ગયા છે. અમુક ભૂમાફિયાઓએ તો ગેરકાયદે હોટલો બનાવી લીધી છે. વીજતંત્રમાંથી વીજ જોડાણો મેળવી લીધા છે. બાંધકામો કરી મકાનોનું વેંચાણ કરવાની તજવીજ પણ આ ભૂમાફિયાઓ કરી રહ્યા છે. આ તમામ બાબતો અંગે તાકીદે કડક પગલાં લેવા, દબાણો દૂર કરવા અને જવાબદારો સામે લેન્ડ કોબીંગ હેઠળ કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech