દ્વારકામાં સેફ્ટીનો ખરાબો ખુલ્લા રોડ પર ન નાખવા અંગે રજૂઆત

  • January 10, 2024 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

‘આપ’ દ્વારા આવેદન પત્ર અપાયું

દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનું પવિત્ર જગતમંદિર આવેલું છે. અહીં દેશ-વિદેશથી દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે. ત્યારે દ્વારકા નગરપાલિકા દ્વારા સેફ્ટીનો કચરો ખુલ્લા રોડ ઉપર ફેકવામાં આવતો હોવાનું કહેવાય છે. જેના કારણે તેમાંથી દુર્ગંધ આવતી હોવાથી અહીં અવર જવર કરતા લોકો - યાત્રાળુઓને ભયંકર દુર્ગંધનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા દ્વારકા નગરપાલિકા ચીફ ઓફિસરને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application