જમ્મુમાં આતંકીઓનો સફાયો કરવા 500 પેરા કમાન્ડો ઉતારવા તૈયારી

  • July 20, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છેલ્લા થોડા સમયથી જમ્મુમાં આતંકવાદી હુમલામાં નોંધપાત્ર વધારો થયો છે. આતંકવાદીઓ અહીં ફરી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સેનાએ હવે જડબાતોડ જવાબ આપવાની રણનીતિ બનાવી છે વધતી ઘૂસણખોરી અને લોકોને પરેશાન કરવાની અને મારી નાખવાની પ્રવૃત્તિ ને ડામવા સેના આ વિસ્તારમાં તેની તૈનાતીને ફરીથી ગોઠવવાનો પ્રયાસ કરી રહી છે. આતંકી હુમલા વધતા સુરક્ષા દળોના 3000 વાળું જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.
સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું છે કે આ વિસ્તારમાં લગભગ 500 પેરા સ્પેશિયલ ફોર્સ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં 50-55 આતંકીઓ હોવાની આશંકા છે.ગુપ્તચર એજન્સીઓ પણ સક્રિય બની છે. માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ગુપ્તચર એજન્સીઓએ પણ પોતાની વ્યવસ્થા મજબૂત કરી છે. તેમનો પ્રયાસ આતંકવાદીઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાનો છે જેમાં તેમને ટેકો આપતા લોકો પણ સામેલ છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં 3,500-4000 જવાનોની બ્રિગેડ સહિત સેના પહેલાથી જ તૈનાત છે.આ ખાસ વ્યૂહરચના બનાવવામાં આવી છે.
સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે આ વખતે આતંકવાદીઓ નવા હથિયારોથી સજ્જ છે. આવી સ્થિતિમાં તેમને ખતમ કરવાની રણનીતિ બનાવવામાં આવી રહી છે. સેના પાસે પહેલાથી જ આતંકીઓનો સામનો કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ સિવાય રોમિયો અને ડેલ્ટા ફોર્સની સાથે રાષ્ટ્રીય રાઈફલ્સની બે ફોર્સ પણ છે. તે જ સમયે, નિયમિત પાયદળ વિભાગ પણ હાજર છે.
છેલ્લા એક મહિનામાં આતંકીઓએ જમ્મુને નિશાન બનાવ્યું છે. 9 જૂને રિયાસીમાં તીર્થયાત્રીઓથી ભરેલી બસ પર આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું. જેમાં 9 લોકોના મોત થયા હતા. આતંકવાદીઓએ 8 જુલાઈના રોજ કઠુઆમાં સેનાના એક વાહનને નિશાન બનાવ્યું હતું, જેમાં 5 જવાન શહીદ થયા હતા. છેલ્લા એક મહિનામાં આતંકીઓએ સાત મોટી ઘટનાઓને અંજામ આપ્યો છે. જેમાં 12 જવાનો શહીદ થયા છે, જ્યારે 9 નાગરિકોના મોત થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application