વિધાર્થીઓના મૂલ્યાંકન માટે ધો.૯ અને ૧૦ની પ્રશ્ન બેંક તૈયાર કરવાની કામગીરી આજથી શરૂ

  • August 06, 2024 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધોરણ ૯ અને ૧૦ ની પ્રશ્ન બેંક તૈયાર કરવાની કામગીરી શિક્ષકો દ્રારા આજથી શ થઈ છે. રાયના ૨૯ શિક્ષકો ત્રણ દિવસ સુધી નિવાસી તાલીમમાં હાજર રહી પ્રશ્ન બેંક તૈયાર કરશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ નવ અને ૧૦ ની ત્રીજી ચોથી અને પાંચમી પ્રશ્નબેંક બનાવવાની કામગીરી ધરવામાં આવી છે.
શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ ૯ અને ૧૨ ના વિધાર્થીઓ માટે જે પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન કરવામાં આવે છે જેમાં વર્ષ દરમિયાન તબક્કા બાર આ મૂલ્યાંકન માટે શિક્ષણ બોર્ડ દ્રારા પ્રશ્ન બેંક તૈયાર કરીને રાયોની સ્કૂલોને મોકલવામાં આવે છે. આ પ્રશ્નના આધારે સ્કૂલો પ્રશ્નપત્ર તૈયાર કરીને વિધાર્થીઓનું મૂલ્યાંકન કરે છે બોર્ડ દ્રારા પ્રશ્ન બેંક જે તે વિષયના નિષ્ણાંતો પાસે તૈયાર કરાવવામાં આવતું હોય છે જેમાં ધોરણ નવ અને ૧૦ માં પ્રશ્ન બેંક તૈયાર કરવા માટેની કામગીરી શ કરી દેવામાં આવી છે. ગાંધીનગર ખાતે આવેલા આર્યભટ્ટ માધ્યમિક શાળામાં રીઝલ્ટ પ્રોસેસિંગ સેન્ટર ખાતે આજે તારીખ ૬ થી ૮ દરમિયાન આ તાલીમ યોજાશે જેમાં ૨૯ શિક્ષકોને હાજર રહેવા સૂચના અપાય હતી. જે તે શિક્ષકોને પોતાના વિષયનો અભ્યાસ તેમજ પાઠપુસ્તક અને મટીરીયલ સાથે હાજર રહેવાનું હોવાથી ૨૯ શિક્ષકો તાલીમમાં જોડાઈ ગયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application