જેતપુરના નવાગઢની સગર્ભાનું રાજકોટ ઝનાનામાં પ્રસુતિ પૂર્વે મોત

  • August 03, 2024 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર તાલુકાના નવાગઢ ગામે રહેતી સગર્ભાનું પ્રસુતિ પૂર્વે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં મોત યું છે.પ્રાપ્ત વિગત મુજબ નવાગઢ ગામે રહેતા જીવતબેન ભીખાભાઈ વાઘેલા (ઉં.વ.૨૫) નામના સગર્ભાને ગઈકાલે પ્રસુતિની પીડા ઉપડતા પ્રમ જેતપુરની સરકારી હોસ્પિટલ બાદ ત્યાંી રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કર્યા હતા.

મૃતક પ્રસૂતાને નવ માસનો ગર્ભ હતો અને ગઈકાલે પ્રસુતિનો દુ:ખાવો તા રાજકોટની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બારૂમમાંી પરત બેડ પર સુવડાવ્યા બાદ પોતાનો જીવ મુંજાતો હોવાનું કહેતા તબીબને જાણ કરવામાં આવી હતી સારવાર કારગત નીવડે પહેલા જ મોત નીપજ્યું હતું. મૃત્યુ પામનારના લગ્ન યાને ચાર વર્ષ જેટલો સમય યો હતો. સંતાનમાં એક પુત્રી છે.પતિ સાવરણી વેંચી પરિવારનું ગુજરાન ચલાવે છે. બનાવી ત્રણ વર્ષની પુત્રીએ માતા વિહોણી બનતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application