માધવપુરમાં પૈસા બાબતે પ્રૌઢને ધમકી અપાતા કરી લીધો આપઘાત

  • October 07, 2024 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઠ લાખ રૂપિયા  આપ્યા હતા તે લેવા ગયા ત્યારે ‘‚પિયા તમે ભુલી જાવ, હું આપવાનો નથી’ કહીને હાથ ઉંચા કરી ધમકી આપનાર શખ્શ સામે મૃતકના પુત્રએ નોંધાવી ફરિયાદ
આજકાલ પ્રતિનિધિ-પોરબંદર
પોરબંદર નજીકના માધવપુર ગામે રૂપિયા બાબતે પ્રૌઢને ધમકી અપાતા આપઘાત કરી લીધો છે તેથી તેને મરવા માટે મજબૂર કર્યાનો ગુન્હો તેના પુત્રએ નોંધાવ્યો છે.
માધવપુર પાસે ઓશો આશ્રમના અન્નક્ષેત્ર પાસે રહેતા રવિ રમેશભાઇ મોકરીયા નામના ૨૩ વર્ષના યુવાને માધવપુર પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે તેના પિતા રમેશભાઇ ગોવિંદભાઇ મોકરીયા ઉ.વ. ૪૬એ માધવપુરના કુણાલ પરબત મોઢાને આઠ લાખ ‚પિયા આપ્યા હતા.આથી રમેશભાઇ મોકરીયા તેની પાસે રૂપિયા લેવા ગયા હત્યારે કુણાલે એવુ જણાવ્યુ હતુ કે ‘તે રૂપિયા તમે ભુલી જાવ, હું તમને રૂપિયા આપવાનો નથી.’ તેમ કહીને ગાળો બોલી હતી તથા રમેશભાઇ ઉપરાંત ફરિયાદી રવિ અને મનીષને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આથી કુણાલની ધમકીને લીધે ડરી જઇને રમેશભાઇ મોકરીયાએ અનાજમાં નાખવાના  ઝેરી ટીકડા ખાઇ લીધા હતા અને તેનુ મોત નિપજ્યુ હતુ તેથી રવિ મોકરીયાએ તેના પિતાને મરવા માટે મજબૂર કર્યાનો કુણાલ પરબત મોઢા સામે ગુન્હો નોંધાવતા આગળની તપાસ માધવપુર પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application