અગાઉ પ્રસાદીમાં વપરાતા લોટ-ઘી વગેરેના સેમ્પલ લેવાયા હતા: કેન્દ્ર સરકારના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા અપાયું રેટીંગ
યાત્રાધામ દ્વારકાના વિશ્વ વિખ્યાત ભગવાન દ્વારકાધીશજી મંદિરમાં બનતા પ્રસાદની ગુણવત્તાને કેન્દ્ર સરકારના ફુડ સેફટી ડીપાર્ટમેન્ટ દ્વારા વેરી ગુડ રેટીંગ અપાયુ છે.
થોડા મહિના અગાઉ પ્રસિદ્ધ યાત્રાધામ તિરૂપતિ બાલાજી મંદિરની પ્રસાદની ગુણવત્તા વિવાદ બાદ દ્વારકાધીશ જગતમંદિરમાં પણ ભાવિકોમાં વિતરણ કરાતા પ્રસાદની ગુણવત્તા અંગે મંદિર દેવસ્થાન સમિતિ દ્વારા જામનગર ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન ટીમ દ્વારા જગતમંદિરમાં બનતા પ્રસાદની ચકાસણી હેતુ પ્રસાદીમાં વપરાતો લોટ, ઘી, મેંદો સહિતની વસ્તુઓના સેમ્પલ લેવાયા હતા. જે તમામની ઉચ્ચ સ્તરે ચકાસણી કરાયા બાદ કેન્દ્ર સરકારની ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા પ્રસાદની ગુણવત્તા અંગે 'વેરી ગુડ’ રેટીંગ આપવામાં આવેલ છે.
પ્રસાદની ગુણવત્તાની સતત જાળવણી કરાશે: કલેકટર
આ અંગે દેવસ્થાન સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર જી.ટી.પંડયાએ જણાવેલ કે તેમના અત્યાર સુધીમાં થયેલા અનુભવમાં જગતમંદિરમાં વપરાતી ચીજવસ્તુઓ ગુણવત્તાસભર જણાઈ છે અને વેરી ગુડ રેટીંગ મળ્યુ હોય,આ પ્રસાદની ગુણવત્તાની સતત જાળવણી કરવામાં આવશે ઉપરાંત યાત્રાળુઓને શુદ્ધ પ્રસાદીનું જ વિતરણ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech