ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં હોમાયેલી માનવજિંદગીઓના દોષિત આરોપીઓ પૈકીનો પ્રકાશ કનૈયાલાલ હિરન ત્રણ દિવસથી લાપત્તા છે. તેનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે. જેને લઈને જો અને તો જેવી વાતો ચાલી છે કે, ગેમ ઝોનમાં ફસાયેલા અન્યની માફક પ્રકાશ પણ આગ સમયે અંદર રહી ગયો અને લાપત્તા છે કે પછી આ ઘટના બન્યા બાદ ધરપકડથી બચવા નાસી છૂટો છે?
ગેમ ઝોનમાં શનિવાર તથા રવિવારના ટ્રાફિકને લઈને તેમજ આ શનિવારે રૂા.૯૯માં એન્ટ્રી હોવાથી ધસારો પણ હતો જેથી મહત્તમ સંચાલકો આ બન્ને વારે ગેમ ઝોન પર હાજર રહેતાં હતા અને અલગ અલગ જવાબદારી સંભાળતા હતા. શનિવારે આગ લાગી ત્યારે યુવરાજસિંહ સોલંકી, મેનેજર નીતિન જૈન સહિતના તો પોલીસને સ્થળ પરથી જ મળી આવ્યા હતા. યારે આરોપી પ્રકાશ બાબતે પોલીસે તપાસ કરતાં તે ગેમ ઝોન પર જ હતો. પરંતુ, આગ લાગ્યા બાદ લાપત્તા છે તેવી વિગતો મળી હતી. આ ઘટનામાં પોલીસે ૨૮થી વધુ સાવ બળીને ભુંજાઈ ગયેલા મૃતદેહની ઓળખ મેળવવા માટે ડીએનએ ટેસ્ટનો સહારો લીધો છે. પ્રકાશ લાપત્તા છે તે બાબતે હજુ પોલીસ સમક્ષ તેના કોઈ પરિવારજનો કે નજીકના વર્તુળોએ પણ જાણકારી મેળવી કે આપી નથી.
પ્રકાશ લાપત્તા હોવાથી પોલીસને એવી આશંકા ઉઠી છે કે પ્રકાશ ગેમ ઝોનમાં આગ સમયે હાજર હતો તો અન્યની માફક લાપત્તા તો નથી બન્યો ને? પ્રકાશનો મોબાઈલ ફોન પણ પોલીસને સ્વીચ ઓફ મળી રહ્યો છે. પ્રકાશ અગાઉ પણ અન્ય ધંધાઓ સાથે સંકળાયેલો હતો જેથી રાજકોટથી પરિચીત હતો. લાપત્તા પ્રકાશ આગની ઘટના બાદ પોલીસને આજે ત્રીજા દિવસે પણ મળ્યો નથી. જેથી કોઈ અજુગત્તુ બન્યું છે કે પ્રકાશ ધરપકડથી બચવા માટે પોતાનો ફોન સ્વીચ ઓફ કરીને વતન રાજસ્થાન તરફ નાસી છૂટો છે? તે અંગે પણ પોલીસ ગુ રાહે તપાસ કરી રહી છે. પ્રકાશ પહોંચતો હોવાથી કદાચિત વિદેશ પણ ભાગી જાય તેવી શંકાઓ સેવાઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech