વૈષ્ણવોના પૂજનીય શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના 548 માં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ખંભાળિયામાં આગામી ગુરૂવાર તારીખ 24 ના રોજ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ગુરુવારે સવારે 6:30 વાગ્યે રાત્રે શ્રી મહાપ્રભુજીની બેઠકજી ખાતેથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે. ગિરિરાજજી દુગ્ધસ્નાન પછી સવારે 10:30 થી 11:30 વાગ્યા સુધી પલનાના દર્શન થશે. બપોરે 1 વાગ્યે રાજભોગના દર્શનમાં તિલક આરતી તેમજ સાંજે 6 થી 7:30 વાગ્યે સુધી ડોલરની ફુલ મંડલીના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે સાંજે યોજવામાં આવેલી શ્રી મહાપ્રભુજીની શોભાયાત્રામાં મહિલા વૈષ્ણવોએ કેસરી વસ્ત્રો પરિધાન કરી, મંગલ કલશ લેવાનું રહેશે. આ શોભાયાત્રામાં સહભાગી થવા તેમજ વિવિધ દર્શનનો લાભ લેવા બેઠકજીના મુખ્યાજી દ્વારા સર્વે વૈષ્ણવોને અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech