ખંભાળિયામાં શ્રી મહાપ્રભુજી પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે પ્રભાત ફેરી સહિતના આયોજનો

  • April 23, 2025 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વૈષ્ણવોના પૂજનીય શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના 548 માં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ખંભાળિયામાં આગામી ગુરૂવાર તારીખ 24 ના રોજ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.


પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ગુરુવારે સવારે 6:30 વાગ્યે રાત્રે શ્રી મહાપ્રભુજીની બેઠકજી ખાતેથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે. ગિરિરાજજી દુગ્ધસ્નાન પછી સવારે 10:30 થી 11:30 વાગ્યા સુધી પલનાના દર્શન થશે. બપોરે 1 વાગ્યે રાજભોગના દર્શનમાં તિલક આરતી તેમજ સાંજે 6 થી 7:30 વાગ્યે સુધી ડોલરની ફુલ મંડલીના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સાથે સાંજે યોજવામાં આવેલી શ્રી મહાપ્રભુજીની શોભાયાત્રામાં મહિલા વૈષ્ણવોએ કેસરી વસ્ત્રો પરિધાન કરી, મંગલ કલશ લેવાનું રહેશે. આ શોભાયાત્રામાં સહભાગી થવા તેમજ વિવિધ દર્શનનો લાભ લેવા બેઠકજીના મુખ્યાજી દ્વારા સર્વે વૈષ્ણવોને અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application