કલ્કિ 2898 એડીએ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવ્યા છે અને તેની વર્લ્ડ વાઈડ કમાણી 1100 કરોડની આસપાસ છે, તેમ છતાં ફિલ્મને ક્રિટિક્સ તરફથી સારો રિસ્પોન્સ નથી મળ્યો. પબ્લિક સેન્ટિમેન્ટ પણ આ ફિલ્મને લઈને પોઝિટિવ નહોતા. ઘણા લોકોને ફિલ્મ ધીમી અને બોરિંગ લાગી હતી. ફર્સ્ટ હાફને લઈને એટલી ફરિયાદ આવી હતી કે નિર્દેશક નાગ અશ્વિનને તેના બિલ્ટઅપને લઈને જવાબ આપવો પડ્યો હતો. હવે બોલિવૂડ એક્ટર અરશદ વારસીએ પણ ફિલ્મને લઈને સુપરસ્ટાર એક્ટર પ્રભાસને ઘેરી લીધો છે.
અરશદ વારસીએ કહ્યું કે, તેને કલ્કી ફિલ્મ જરાય પસંદ નથી આવી. તેને આ ફિલ્મમાં અમિતાભ બચ્ચના ભરપૂર વખાણ કર્યા છે. તો બીજી તરફ પ્રભાસના રોલને લઈને મેકર્સને આડેહાથ લીધા હતા.
અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, અને કમલ હસન જેવા સ્ટાર્સ આ ફિલ્મમાં છે. અરશદ વારસીએ કહ્યું, મેં કલ્કિ જોઈ, મને તો સારી ન લાગી. મને ઘણી તકલીફ થાય છે .અમિતજીએ ઘણું સારું કામ કર્યું છે. હું તે વ્યક્તિને ક્યારેય નથી સમજી શક્યો. હું કસમથી કહું છું કે, આપણા બધામાં તે વ્યક્તિ જેવો પાવર હોય તો આપણી બધાની લાઈફ બની જાય. તેઓ ઘણા અનરિયલ છે. એક તરફ જ્યાં અમિતાભ બચ્ચનના વખાણ કર્યા તો ભૈરવાના રોલ માટે પ્રભાસની ટીકા કરી.
અરશદ વારસીએ કહ્યું, પ્રભાસ મને ઘણું દુખ છે કે તું કેમ ફિલ્મમાં જોકર જેવો લાગી રહ્યો હતો. હું તે મેડ મેક્સને જોવા માગું છું. હું મેલ ગિબસન જેવો જોવા માગું છું. તે એને શું બનાવી દીધું યાર. કેમ આવું કરે છે. મને સમજમાં નથી આવતું. અરશદ વારસીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, આ મૂવીએ દર્શકોનું દિલ નથી જીત્યું. ફિલ્મમાં પ્રભાસના રોલને લઈને ઘણા લોકોએ ફરિયાદ કરી હતી કે તેનું કેરેક્ટર સારું નથી.
અરશદ વારસીએ થોડા સમય પહેલા રિલીઝ થયેલી રાજકુમાર રાવની ફિલ્મ શ્રીકાંત અને શરવરી વાઘની ફિલ્મ મુંઝ્યાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. મુન્ના ભાઈ એમબીબીએસ ફેમ એક્ટરે કહ્યું, મેં શ્રીકાંત જોઈ અને મને તે ઘણી પસંદ આવી. મને લાગે છે કે રાજકુમાર રાવે જોરાદાર કામ કર્યું છે. મુંઝ્યા વિશે અરશદ વારસીએ કહ્યું, મેં તે ફિલ્મ વિશે ઘણી પોઝિટિવ વાત સાંભળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCJI ચંદ્રચુડના નિવાસ સ્થાને PM મોદીએ ભગવાન ગણેશની કરી આરતી
September 12, 2024 09:18 AMAyushman Bharat Yojana: આયુષ્માન ભારતનું નવું કાર્ડ બનશે, રજીસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ થશે
September 11, 2024 10:52 PMપિતાના મૃત્યુ બાદ મલાઈકા અરોરાએ લખી ઈમોશનલ પોસ્ટ, કહ્યું- તે અમારા બેસ્ટ ફ્રેન્ડ હતા
September 11, 2024 10:48 PMPNB Fraud Case: નીરવ મોદી પર EDની મોટી કાર્યવાહી, 29.75 કરોડની સંપત્તિ કરશે જપ્ત
September 11, 2024 10:43 PMપાટણની સરસ્વતી નદીમાં સાત ડૂબ્યા, 3ને બચાવાયા, 1નું મોત
September 11, 2024 10:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech