ભારે વરસાદ બાદ ખંભાળિયાના ૨૩ ગામોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ

  • June 18, 2024 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પીજીવીસીએલની ટીમે સતત ૩૬ કલાકથી વધુ કામગીરી કરીને વીજ પુરવઠો પુનઃ કાર્યરત કર્યો


ખંભાળિયામાં રવિવારે ૧ થી ૯ ઈંચ વરસાદથી ૨૩ ગામડાઓમાં વીજ ખોરવાઈ ગયો હતો. વરસાદ બંધ થતા જ જીલ્લાની પીજીવીસીએલની  ટીમોએ યુધ્ધના ધોરણે રિપેરીંગ કામ કરી તમામ ગામોમાં વીજ પૂરવઠો પુનઃ ચાલુ કર્યો હતો.


ખંભાળિયામાં પડેલા ભારે વરસાદને કારણે તેમજ અન્ય વિસ્તારમાં આવેલ વરસાદને કા૨ણે ૨૩ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જ્યોતિગ્રામના ૭ ફીડર અને ૨૮ ખેતીવાડી ફીડરમાં પુરવઠો ખોરવાતા પીજીવીસીએલની ટેકનિકલ ટીમોએ દરેક ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી આપ્યો હતો.


જિલ્લામાં વરસાદને કારણે કુલ ૨૩ જેટલા ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. આ તમામ ગામોમાં પીજીવીસીએલની ટીમોએ વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે ૩૬ કલાક સુધી સતત જહેમત ઉઠાવી હતી. જિલ્લામાં વરસાદને કારણે ગામોમાં 12 વીજ થાંભલા પડી ગયા હતા અને અમુક ફીડર પણ બંધ થયા હતા. હાલ વીજ પુરવઠો પુનઃ શરૂ કરી આપવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application