ખંભાળિયા પંથકમાં ભારે વરસાદને પગલે વીજ પુરવઠા પુનઃ સ્થાપનની કામગીરી પૂરજોશમાં

  • July 23, 2024 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

70 થી વધુ પોલ ઊભા કરીને 18 ગામોમાં વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરાયો



દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને લીધે સંખ્યાબંધ વીજ પોલ પડી જવાથી તેમજ અન્ય કારણોને લીધે વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. આ પરિસ્થિતિમાં નવા પોલ ઊભા કરીને તેમજ અન્ય કામગીરી દ્વારા વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી પીજીવીસીએલ તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે.


આ અંતર્ગત ખંભાળિયા તાલુકાના જુદા જુદા ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે તૂટી ગયેલા થાંભલાઓને દૂર કરીને 70 થી વધુ પોલ લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જેના કારણે 18 જેટલા ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે. બાકી રહેતા કેટલાક ગામોમાં પણ આ કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી હોવાનું ખંભાળિયા પી.જી.વી.સી.એલ.ની વિભાગીય કચેરી દ્વારા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application